________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ] જીવ વિના જ્ઞાન ક્યાંય કોઈને કોઈ ઠેકાણે જોવામાં આવે છે? ક્યાંય પણ જોવામાં આવતું નથી.
હવે, એમાં દૂષણ દર્શાવે છે:सच्चेयणपच्चक्खं जो जीवं णेव मण्णदे मूढो। सो जीवं ण मुणंतो जीवाभावं कहं कुणदि।। १८२।। सचेतनप्रत्यक्षं यः जीवं नैव मन्यते मूढः। स: जीवं न जानन् जीवाभावं कथं करोति।। १८२।।
અર્થ- આ જીવ, સરૂપ અને ચૈતન્યરૂપ સ્વસંવેદન પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે તેને ચાર્વાક માનતો નથી, પણ તે મૂર્ખ છે. જો જીવને જાણતો-માનતો નથી તો તે જીવનો અભાવ કેવી રીતે કરે છે?
ભાવાર્થ- જે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ કહી શકે નહીં. અભાવને કહેવાવાળો પણ જીવ છે, કેમ કે સદભાવ વિના અભાવ પણ કહ્યો જાય નહિ.
હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદ્ભાવ દર્શાવે છે:जदि ण य हवेदि जीओ तो को वेदेदि सुक्खदुक्खाणि। इंदियविसया सव्वे को वा जाणदि विसेसेण।। १८३।।
यदि न च भवति जीवः तत् कः वेत्ति सुखदुःखानि। इन्द्रियविषयान् सर्वान् क: वा जानाति विशेषेण ।। १८३।।
અર્થ - જો જીવ ન હોય તો પોતનો થતાં સુખ-દુઃખને કોણ જાણે ? તથા ઇન્દ્રિયના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે ?
ભાવાર્થ:- ચાર્વાક (માત્ર એક ) પ્રત્યક્ષપ્રમાણને માને છે. ત્યાં, પોતાને થતાં સુખ-દુ:ખને તથા ઈન્દ્રિયોના વિષયોને જાણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com