________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે કોઈ પૂછે કે ‘ ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ કહેવાય ?' તેનું સમાધાન કરવામાં આવે છેઃ
जीवस्स विणाणस्स वि गुणगुणिभावेण कीरए भेओ । जं जाणदि तं णाणं एवं भेओ कहं होदि । । १८० ।।
जीवस्य अपि ज्ञानस्य अपि गुणगुणिभावेन क्रियते भेदः । यत् जानाति तत् ज्ञानं एवं भेदः कथं भवति ।। १८० ।
અર્થ:- જીવ અને જ્ઞાનમાં ગુણગુણીભાવથી કચિત ભેદ કરવામાં આવે છે. જો એમ ન હોય તો ‘જે જાણે તે જ આત્માનું જ્ઞાન છે' એવો ભેદ કેમ હોય?
ભાવાર્થ:- જો સર્વથા ભેદ હોય તો ‘જાણે તે જ્ઞાન છે' એવો અભેદ કેમ કહેવાય ? માટે કથંચિત્ ગુણગુણીભાવથી ભેદ કહેવામાં આવે છે પરંતુ તેમાં પ્રદેશભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણગુણીમાં સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાન્તરભેદ (પદાર્થભિન્નતારૂપ ભેદ) માને છે તેના મતને નિષેધ્યો.
હવે, ચાર્વાકમતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તેને નિષેધે છેઃ
णाणं भूयवियारं जो मण्णदि सो वि भूदगहिदव्वो । जीवेण विणा णाणं किं केणवि दीसदे कत्थ ? ।। १८१ ।।
ज्ञानं भूतविकारं यः मन्यते सः अपि भूतगृहीतव्यः । जीवेन विना ज्ञानं किं केनापि दृश्यते कुत्र ? ।। १८१ । ।
અર્થ:- જ્ઞાનને પૃથ્વી આદિ પાંચ ભૂતોનો વિકાર માને છે તે ચાર્વાક ભૂતથી અર્થાત્ પિશાચથી ગ્રહાયો છે-ઘેલો છે; કારણ કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com