________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૦૩
ભેદ છે. ગોમ્મટસારમાં અવગાહનાના ચોસઠ ભેદોનું વર્ણન છે, ત્યાંથી તે જાણવું.
હવે બેઇન્દ્રિય આદિની જઘન્ય અવગાહના કહે છેઃबितिचउपंचक्खाणं जहण्णदेहो हवेइ पुण्णाणं । अंगुल असंखभागो संखगुणो सो वि उवरुवरिं ।। १७४।। द्वित्रिचतुःपञ्चाक्षाणां जघन्यदेहः भवति पर्याप्तानाम्। अंङ्गुलाऽसंख्यातभागः संख्यातगुणः सः अपि उपर्युपरि ।। १७४ ।।
અર્થ:- બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્યદેહ ઘનાંગુલના અસંખ્યાતમા ભાગ છે અને તે પણ ઉપર ઉપર સંખ્યાત ગણો છે.
ભાવાર્થ:- બેઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ત્રણઇન્દ્રિયનો દેહ છે, ત્રણ ઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ચાઇન્દ્રિયનો દેહ છે અને તેનાથી સંખ્યાતગણો પંચેન્દ્રિયનો દેહ છે.
હવે જઘન્ય અવગાહનાના ધા૨ક બેઇન્દ્રિયાદિ જીવ કોણ કોણ છે તે કહે છે:
अणुद्धरीयं कुथो मच्छीकाणा य सालिसित्थो य । पज्जत्ताण तसाणं जहण्णदेहो विणिद्दिट्ठोः।। १७५।।
अनुद्धरीयकः कुन्थुः कायमक्षिका च शालिसिक्थः च । पर्याप्तानां त्रसानां जघन्यदेहः વિનિર્દિષ્ટ: ।। ૭૬ ।।
અર્થ:- બેઇન્દ્રિય તો અણુદ્ધરીજીવ, ત્રણઇન્દ્રિયમાં કુંથુજીવ, ચારઇન્દ્રિયમાં કાણ-મક્ષિકા અને પંચેન્દ્રિયમાં શાલીસિક્સ્થ નામનો મચ્છ-એ ત્રસપર્યાપ્ત જીવોનો જઘન્ય દેહ કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com