________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨] .
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા દેવોનો દેહ ત્રણ હાથ ઊંચો છે, અધો રૈવેયકના દેવોનો દેહ અઢી હાથ ઊંચો છે, મધ્યમ રૈવેયકના દેવોનો દેહુ બે હાથ ઊંચો છે, ઉપરીમ રૈવેયકના દેવોનો દેહ દોઢ હાથ ઊંચો છે તથા નવ અનુદિશ અને પંચ અનુત્તરના દેવોનો દેહુ એક હાથ ઊંચો છે.
હવે ભરત-ઐરાવતક્ષેત્રમાં કાળની અપેક્ષાએ મનુષ્યોના શરીરની ઊંચાઈ કહે છે:अवसप्पिणिए पढमे काले मणुया तिकोसउच्छेहा। छट्ठस्सवि अवसाणे हत्थपमाणा विवत्था य।। १७२।। अवसर्पिण्याः प्रथमे काले मनुजा: त्रिकोशोत्सेधाः। षष्ठस्य अपि अवसाने हस्तप्रमाणा: विवस्त्राः च।।१७२।।
અર્થ- અવસર્પિણીના પહેલા કાળમાં મનુષ્યોનો દેહ ત્રણ કોશ ઊંચો છે તથા છઠ્ઠી કાળના અંતમાં મનુષ્યોનો દેહ એક હાથ ઊંચો છે. વળી છઠ્ઠી કાળના મનુષ્યો વસ્ત્રાદિથી રહિત હોય છે.
હવે એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ કહે છે:सव्वजहण्णो देहो लद्धियपुण्णाण सव्वजीवाणं। अंगुलअसंखभागो अणेयभेओ हवे सो वि।।१७३।। सर्वजघन्यः देहः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम्। अगुलाऽसंख्यातभागः अनेकभेदः भवेत् सः अपि।। १७३।।
અર્થ- લધ્યપર્યાપક સર્વ જીવોનો દેહ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ છે અને તે સર્વ જઘન્ય છે તથા તેમાં પણ અનેક ભેદ છે.
ભાવાર્થ- એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ પણ નાનો-મોટો હોય છે અને તે ઘનાગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અનેક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com