________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोऽनुप्रेक्षu]
[१०१ હવે દેવોની અવગાહના કહે છે - असुराणं पणवीसं सेसं णवभावणा य दहदंडं। वितरदेवाण तहा जोइसिया सत्तधणुदेहा।। १६९ ।। असुराणां पश्चविंशतिः शेषाः नवभावनाश्च दशदण्डाः। व्यन्तरदेवानां तथा ज्योतिष्काः सप्तधनुर्देहाः।। १६९ ।।
અર્થ:- ભવનવાસીઓમાં અસુરકુમારોના દેહની ઉંચાઈ પચ્ચીસ ધનુષ અને તેના બાકીના નવે કુમારદેવોની દસ ધનુષ, વ્યંતરોના દેહની ઉંચાઈ દસ ધનુષ તથા જ્યોતિષી દેવોના દેહની ઉંચાઈ સાત धनुष छ.
હવે સ્વર્ગના દેવોના દેહની ઉંચાઈ કહે છે:दुगदुगचदुचदुदुगदुगकप्पसुराणं सरीरपरिमाणं। सत्तछहपंचहत्था चउरो अद्धद्ध हीणा य।।१७०।। हिट्ठिममज्झिमउवरिमगेवजे तह विमाणचउदसए। अद्धजुदा बे हत्था हीणं अद्धद्धयं उवरिं।। १७१।। द्विकद्विचतुश्चतुर्द्विकद्विककल्पसुराणां शरीरपरिमाणम्। सप्तषट्पञ्चहस्ताः चत्वारः अर्धार्धहीना: च।। १७०।। अधस्तनमध्यमोपरिमग्रैवेयकेषु तथा विमानचतुर्दशसु। अर्धयुतौ द्वौ हस्तौ हीनं अर्धार्धकं उपरि।।१७१।।
અર્થ- સૌ ધર્મ-ઐશાન યુગલના દેવોનો દેહ સાત હાથ ઊંચો છે, સનકુમાર-મહેન્દ્રયુગલના દેવોનો દેહ છ હાથ ઊંચો છે, બ્રહ્મબ્રહ્મોત્તર-લાન્તવ- કાપિષ્ટ એ ચાર સ્વર્ગના દેવોનો દેહ પાંચ હાથ ઊંચો છે, શુક્ર-મહાશુક-સતાર- સહસ્રાર એ ચાર સ્વર્ગના દેવોનો દેહ ચાર હાથ ઊંચો છે, આનત-પ્રાણતયુગલના દેવોનો દેહ સાડાત્રણ હાથ ઊંચો છે, આરણ-અર્ચ્યુતયુગલના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com