________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
बारसजोयण संखो कोसतियं गोब्भिया समुद्दिट्ठा । भमरो जोयणमेगं सहस्स सम्मुच्छिमो मच्छो ।। १६७ ।। द्वादशयोजनायामः संखः क्रोशत्रिकं ग्रैष्मिका समुद्दिष्टा । भ्रमरः योजनं एकं सहस्त्रं सम्मूच्छिमः मत्स्यः।। १६७।।
અર્થ:- બે ઇન્દ્રિયા શંખ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજન લાંબી છે; ત્રણઇન્દ્રિયમાં ગોભિકા અર્થાત્ કાનખજૂરો મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચારઇન્દ્રિયમાં ભ્રમર મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં સંમૂર્ચ્છન મચ્છુ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં
જાણવા.
હવે નારકીની ઉત્કૃષ્ટ અવગાહના કહે છેઃ
पंचसयाधणुछेहा सत्तमणरए हवंति णारइया । तत्तो उस्सेहेण य अद्धद्धा होंति उवरुवरिं ।। १६८ ।।
पश्चशतधनूत्सेधाः सप्तमनरके भवन्ति नारकाः। ततः उत्सेधेन च अर्धार्धाः भवन्ति उपर्युपरि ।। १६८ ।।
અર્થ:- સાતમા નરકમાં ના૨કી જીવોનો દેહ પાંચસો ધનુષ ઊંચો છે; તેના ઉ૫૨ દેહની ઊંચાઈ અડધી અડધી છે અર્થાત્ છઠ્ઠામાં બસો પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ; બીજામાં પંદર ધનુષ દશ આની, અને પહેલામાં સાત ધનુષ તેર આની-એ પ્રમાણે જાણવું. તેમાં ઓગણપચાસ પટલ છે અને તે બધાંમાં જુદી જુદી વિશેષ અવગાહના શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com