________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને ) કહે છે:देवाविणारया विय लद्धियपुण्णा हु संतरा होंति । सम्मुछिया वि मणुया सेसा सव्वे णिरंतरया।। १५२।। देवाः अपि नारकाः अपि च लब्ध्यपर्याप्ताः स्फुटं सान्तराः भवन्ति । सम्मूर्छनाः अपि मनुजाः शेषाः सर्वे निरन्तरकाः।।१५२।।
અર્થ:- દેવ, નારકી, લબ્ધપર્યાસક તથા સમૂર્છનમનુષ્ય એટલા તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થ:- એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર ( અંતર સહિત ) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લન્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ-નાકીનું તો બાર મુહૂર્તનું અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન જ ઊપજે તો બાર મૂહુર્ત સુધી જ ન ઊપજે. વળી સમ્મેઈનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા ભાગ કાળ સુધી જ ન થાય એ પ્રમાણે અન્ય ગ્રન્થોમાં કહ્યું છે. બાકીના સર્વ જીવ નિરંતર ઊપજે છે.
હવે જીવોની સંખ્યા દ્વારા અલ્પ-બહુત્વ કહે છેઃमणुयादो णेरइया णेरइयादो असंखगुणगुणिया । सव्वे हवंति देवा पत्तेयवणप्फदी तत्तो ।। १५३ ।। मनुजात् नैरयिकाः नैरयिकात् असंख्यातगुणगुणिताः। सर्वे देवाः प्रत्येकवनस्पतयः તત:।। ′3 ||
भवन्ति
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com