________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા] .
[૯૧ હવે જલચરજીવોનાં સ્થાન કહે છે:लवणोए कालोए अंतिमजलहिम्मि जलयरा संति। सेससमुद्देसु पुणो ण जलयरा संति णियमेण ।।१४४ ।। लवणोदके कालोदके अन्तिमजलधौ जलचराः सन्ति। शेषसमुद्रेषु पुन: न जलचराः सन्ति नियमेन।।१४४।।
અર્થ:- લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી- વ્યંતરનાં સ્થાન કહે છે:
खरभायपंकभाए भावणदेवाण होंति भवणाणि। विंतरदेवाण तहा दुहृ पि य तिरियलोए वि।।१४५।। खरभागपङ्कभागयोः भावनदेवानां भवन्ति भवनानि। व्यन्तरदेवानां तथा द्वयोरमपि च तिर्यग्लोके अपि।।१४५।।
અર્થ - ખરભાગ અને પંકભાગમાં ભવનવાસીઓનાં ભવન તથા વ્યંતરદેવોના નિવાસ છે. વળી એ બંનેના તિર્યશ્લોકમાં પણ નિવાસ છે.
ભાવાર્થ- એક લાખ એંશી હજાર યોજન જાડી પહેલી રત્નપ્રભા પૃથ્વી છે, તેના ત્રણ ભાગમાં (પ્રથમના) સોલ હજાર યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ વ્યંતરોના નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજન પ્રમાણ પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી તિર્યશ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com