________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪]
| [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ- આર્યખંડમાં, મ્લેચ્છખંડમાં, ભોગભૂમિમાં તથા કુભોગભૂમિમાં મનુષ્ય છે. તે ચારે (પ્રકારના) મનુષ્યોના પર્યાય તથા નિવૃત્તિ-અપર્યાતથી આઠ પ્રકાર થયા. संमुच्छिणा मणुस्सा अज्जवखंडेसु होंति णियमेण। ते पुण लद्धिअपुण्णा णारयदेवा वि ते दुविहा।। १३३।। सम्मूर्च्छनाः मनुष्याः आर्यखण्डेषु भवन्ति नियमेन। ते पुनः लब्धिअपूर्णा: नारकदेवाः अपि ते द्विविधाः।। १३३।।
અર્થ- સમૂર્ઝનમનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને તે લધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને નિવૃજ્યપર્યાતના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બંધાય મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી–સંક્ષેપતાથી સંગ્રહ કરી-કહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે જીવસમાસ
કહ્યા.
હવે પર્યાતિનું વર્ણન કરે છે :आहारसरीरिंदियणिस्सासुस्सासभासमणसाणं। परिणइवावारेसु य जाओ छ च्चेव सत्तीओ।। १३४ ।।
आहारशरीरेन्द्रियनिःश्वासोच्छवासभाषामनसाम्। परिणतिव्यापारेषु च याः षडेव शक्तयः।। १३४।।
અર્થ - આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થ- આત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારાદિ ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાસિ કહીએ છીએ. તેના છે પ્રકાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com