________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૮૩ अष्टौ अपि गर्भजाः द्विविधाः त्रिविधाः सम्मूर्च्छनाः अपि त्रयोविंशतिः। इति पंचाशीतिः भेदाः सर्वेषां भवन्ति तिरश्चाम्।। १३१ ।।
અર્થ- સર્વ તિર્યંચોના પંચાશી (૮૫) ભેદ છે. ત્યાં ગર્ભજના આઠ છે, તે પર્યાપ્તઅપર્યાયથી સોળ (૧૬) ભેદ થયા, અને સમૂર્ચ્યુનના તેવીસ ભેદ છે તે પર્યાપ્ત, અપર્યાય અને લધ્યપર્યાયથી (ગુણતાં) અગણોતેર (૬૯) ભેદ થયા. એ પ્રમાણે સર્વ મળી પંચાશી (૮૫) ભેદ છે.
ભાવાર્થ:- પૂર્વે કહેલા કર્મભૂમિના ગર્ભજોના જલચર, થલચર અને નભચર (જીવો) છે; તેના સંજ્ઞી, અસંગી ભેદથી છે ભેદ થયા. વળી ભોગભૂમિના થલચરસંજ્ઞી તથા નભચરસંક્ષી એ આઠે ભેદ પર્યાય અને અપર્યાપ્ત ભેદથી સોળ ભેદ થયા; સમૂચ્છનના પૃથ્વી, અપ, તેજ, વાયુ, નિત્યનિગોદ, ઇતરનિગોદ અને દરેકના સૂક્ષ્મ તેમજ બાદર મળી બાર (૧૨) ભેદ તથા વનસ્પતિના સપ્રતિષ્ટિત અને અપ્રતિષ્ઠિત એ બંને મળી ૧૪ ચૌદ તો એકેન્દ્રિયના ભેદ થયા, વિકલત્રયના ત્રણ અને કર્મભૂમિના પંચેન્દ્રિયોના સંજ્ઞિજલચર, અસંજિલચર, સંજ્ઞિથલચર, અસંજ્ઞિથલચર, સંશિનભચર તથા અસંશિનભચર એ છ ભેદ, એ પ્રમાણે બધા મળી તેવીસ ભેદ થયા, તે બધા પર્યાય, અપર્યાય અને લધ્યપર્યાય ભેદે કરી ગણતાં (૬૯) અગણોતેર ભેદ થયા. એ પ્રમાણે પ્રથમના સોળ અને આ અગણોતેર મળી પંચાશી (૮૫ )–ભેદ થયા.
હવે મનુષ્યના ભેદ કહે છે :अज्जवमिलेच्छखंडे भोगमहीसु वि कुभोगभूमीसु। मणुया हवंति दुविहा णिव्वित्तिअपुण्णगा पुण्णा।। १३२।। आर्यम्लेच्छखण्डेषु भोगमहीषु अपि कुभोगभूमिषु। मनुजा: भवन्ति द्विविधाः निर्वृत्त्यपर्याप्ताः पूर्णपर्याप्ताश्च ।। १३२।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com