________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
ઉપર સાત રાજુ ઊર્ધ્વલોક છે અને વચ્ચે મેરુ સમાન લાખ યોજનનો મધ્યલોક છે. એ પ્રમાણે ત્રણ લોકનો વિભાગ જાણવો.
હવે ‘લોક’ શબ્દનો અર્થ કહે છે :
दीसंति जत्थ अत्था जीवादीया स भण्णदे लोओ। तस्स सिहरम्मि सिद्धा अंतविहीणा विरायंते ।। १२१ ।। दृश्यन्ते यत्र अर्था: जीवादिकाः स भण्यते लोकः । तस्य शिखरे सिद्धा: अन्तविहीनाः विराजन्ते ।। १२१ ।।
અર્થ:- જ્યાં જીવાદિક પદાર્થ જોવામાં આવે છે તેને લોક કહે છે; તેના શિખર ઉપર અનંત સિદ્ધો બિરાજે છે.
ભાવાર્થ:- વ્યાકરણમાં દર્શનના અર્થમાં ‘તુર્દૂ’ નામનો ધાતુ છે; તેના આશ્રયાર્થમાં અકાર પ્રત્યયથી ‘લોક’ શબ્દ નીપજે છે. તેથી જેમાં જીવાદિક દ્રવ્યો જોવામાં આવે તેને ‘લોક' કહેવામાં આવે છે. તેના ઉ૫૨ અંત( ભાગ )માં કર્મરહિત અને અનંત ગુણસહિત અવિનાશી અનંત શુદ્ધ જીવ બિરાજે છે.
હવે, આ લોકમાં જીવાદિક છ દ્રવ્ય છે તેનું વર્ણન કરે છે. ત્યાં પ્રથમ જ જીવદ્રવ્ય વિષે કહે છે :
एइंदिएहिं भरिदो पंचपयारेहिं सव्वदो लोओ। तसणाडीए वि तसा ण बाहिरा ' होंति सव्वत्थ ।। १२२ ।।
एकेन्द्रियैः भृतः पंचप्रकारैः सर्वतः लोकः ।
त्रसनाडयां अपि त्रसा न बाह्याः भवन्ति सर्वत्र ।। १२२ ।।
અર્થ:- આ લોક પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિ-એ પાંચ પ્રકારની કાયાના ધારક એવા જે એકેન્દ્રિય જીવો
.
૧ વાયરા' એવો પણ પાઠ છે. તેનો એવો અર્થ છે કે સર્વ લોકમાં પૃથ્વીકાયાદિક સ્થૂલ તથા ત્રસ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com