SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૦ પ્રવચન નં:- ૧ ગાથા-૩૮ જણાય છે.. પણ તે મારું સ્વરૂપ નથી તેમ સાધક જાણે છે છતાં પણ સાધક તેના પ્રત્યે ઉદાસ છે. પરિણામ છે ખરા પણ તે વ્યક્ત પરિણામ પ્રત્યે ઉદાસ છે.. તેનું નામ પરિણામ હેય છે. હૈયનો અર્થ દ્વેષવાચક નથી... પરંતુ ઉપેક્ષાવાચક છે. માટે પરિણામ છે, હવે એ પરિણામને જે ઉડાડે છે તેણે દ્રવ્યને ઉડાડયું છે. બીજું જે પરિણામને જાણવામાંથી અર્થાત્ જ્ઞાનના શેયમાંથી ઉડાડે છે-દ્વેષ કરે છે તેને દૃષ્ટિનો વિષય હાથમાં આવતો નથી. આ મુદ્દાની વાત છે. અહીં હેયનો અર્થ ચાલે છે. હેય શબ્દ છે તે દ્વેષવાચક નથી. હાય...! હાય... ! તમે પર્યાયની વાત કરો છો... અને પર્યાયની વાત કરશો તો તમે મિથ્યાર્દષ્ટિ થઈ જશો ! આહા... હા ! જોઈ લ્યો ! બહુ શીખીને તું કયાં આવ્યો ? પર્યાય ઉ૫૨ તો તને દ્વેષ થઈ ગયો છે. ત્યારે પૂ. ગુરુદેવશ્રીના હાથમાં રૂમાલ હતો તે બતાવીને કહ્યું કે જે પર્યાય ઉપર દ્વેષ કરે છે તે નિગોદમાં જશે. તે સીધો નિગોદમાં જશે ( અથવા ) અહીંથી મરીને તે સાંખ્યમત પ્રવર્તાવશે. પર્યાયો છે ખરી.. પણ તે ઉપાદેય નથી. હોય તેને ઉપાદેય નથી તેમ કહેવાય. પર્યાયો છે ખરી પણ તે હેય છે એટલે કે તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. જેમ લોકાલોક છે તેમ પર્યાય પણ છે, સમ્યગ્દર્શન પણ છે. અહીં કહે છે-તે સમ્યગ્દર્શન ઉપાદેય નથી, સમ્યગ્દર્શનમાં સમ્યગ્દર્શનનો વિષય એક જ ઉપાદેય છે અને સમ્યગ્દર્શન ઉપેક્ષા કરવા યોગ્ય છે. ક્ષાયિકભાવ ઉપેક્ષા કરવા યોગ્ય છે. હૈયનો અર્થ ઉપેક્ષાવાચક છે, હૈયનો અર્થ દ્વેષવાચક નથી. ભગવાન આત્મા ઉપાદેય છે અર્થાત્ રાગવાચક નથી પરંતુ અપેક્ષાવાચક છે. એકની અપેક્ષા થતાં બીજાની ઉપેક્ષા સહજ થઈ જાય છે.. પરંતુ ખરેખર ઉપેક્ષા કરવી પડતી નથી. શ્રોતાઃ- ભગવાન આત્મા રાગ વાચક નથી પરંતુ અપેક્ષાવાચક છે ઉત્ત૨:- હા, અપેક્ષા વાચક છે. જેમ હેય શબ્દ દ્વેષ કરવા યોગ્ય નથી, તેમ ભગવાન આત્માને ઉપાદેય કહ્યો તો તેના પ્રત્યે રાગ કરવા યોગ્ય નથી પરંતુ ‘ ઉપાદેય ’ શબ્દ અપેક્ષાવાચક છે. પર્યાય ‘ હૈય ’ છે તે ઉપેક્ષાવાચક છે. તે ઉપેક્ષિતભાવો જ્ઞાનમાં જણાય જાયછે પણ તે હું નથી. કેમકે એ બધાં ભાવો નાશવાન છે. તે કર્મથી ઉત્પન્ન થયેલાં ભાવો છે, એ મારાથી ઉત્પન્ન થયેલાં ભાવો નથી. હું અકર્તા હોવાથી તેનો કર્તા નથી. ભગવાન આત્મા સંવ૨-નિર્જરા અને મોક્ષના પરિણામનો કર્તા પણ નથી, કારણ પણ નથી, કાયિતા પણ નથી. એ ભાવો કર્મના અભાવથી ઉત્પન્ન થાય તો મને ઠીક અને કર્મનો ક્ષય થાય તો ઠીક તેવી અનુમોદના હું કરતો નથી. અહીં કહે છે કે- તે સાતેય તત્ત્વો પરદ્રવ્ય હોવાને કા૨ણે તે ઉપાદેય નથી અર્થાત્ ગ્રાહ્ય નથી. તે ભાવો ગ્રહણ કરવા યોગ્ય નથી એટલે તેમાં આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy