SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૧ તે જાણવા યોગ્ય છે. જાણવા યોગ્ય છે માટે તો તેને હેય કહ્યું. જો તે જ્ઞાનનો વિષય જ ન હોય તો તેને હેય કોણ કહે? સસલાના શિંગડા હેય ન હોય. કોઈ કહે–સસલાના શિંગડા હોય છે. તો તેને કહે છે સસલાના શિંગડા જ ન હોય. એમ દૃષ્ટિના લોભમાં ચડેલા આત્માઓ જ્ઞાનનો દ્રોહ કરે છે અર્થાત્ પર્યાયને જ્ઞાનના જ્ઞયમાંથી ઉડાડે છે તેને દ્રવ્યદૃષ્ટિ થતી નથી. પ્રશ્ન- હેયનો અર્થ ભિન્ન છે તેમ કરવાનો? ઉત્તર:- હેયનો અર્થ ઉપેક્ષા. પ્રશ્ન:- હેયનો અર્થ ભિન્ન પણ કરે છે. ઉત્તર:- ભિન્ન તો છે, પણ ઉપરાંત હોય છે. પરિણામ આત્માથી અભિન્ન તો છે જ નહીં એટલે એનો તો સવાલ નથી. પરિણામ ભિન્ન હોવા છતાં એ ઉપાદેય નથી પરંતુ હય છે. હેય હોવા છતાં તે દ્વેષ કરવા યોગ્ય નથી. સમ્યગ્દર્શન પ્રત્યે દ્વેષ કરીશમાં. સંવરનિર્જરાના પરિણામ તને પ્રગટ થયા હોય તો એ કાંઈ દ્વેષ કરવા યોગ્ય નથી. મોક્ષના પરિણામ પ્રગટ થયા નથી છતાં હું તેના પ્રત્યે દ્વેષ કરતો નથી. તેના પ્રત્યે મને ઉપેક્ષા વર્તે છે. મોક્ષ થાવ તો થાવ! એમાં જીવને શું વધ્યું? મોક્ષ થાય તેમાં જીવની શું વૃદ્ધિ થઈ ? અને પરિણામમાં બંધ હોય તો જીવને શું ઘટયું? આહા... હા ! એ તો ટંકોત્કીર્ણ જ્ઞાનઘન પરમાત્મા એવો ને એવો અનાદિ અનંત બિરાજમાન છે. એ પરમાત્માનું લક્ષ કરતાં. અર્થાત્ તેનું લક્ષ થતાં સંવર નિર્જરાના પરિણામ પ્રગટ થાય છે. લક્ષ કરતાં તે ઉપદેશનું વાકય છે અને લક્ષ થતાં તે સહજતાનું વાકય છે. ઉપદેશ બોધમાં એમ કહે કે-તમારા ઉપયોગને બહારથી હુંટાવી અને આત્મ સન્મુખ કરો. સિદ્ધાંતબોધ આનાથી જુદો છે. જીવાદિ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી” પરદ્રવ્યોથી જે પરામુખ છે,” કોઈ પરિણામ ગ્રાહ્ય નથી, ઉપાદેય નથી, આત્મબુદ્ધિ કરવા યોગ્ય નથી. તો કોણ કોને ઉપાદેય છે? તો કહે છે–આત્મા આત્માને ઉપાદેય છે.. તેવા મૂળ પાઠમાં શબ્દો છે. જેવો આત્મા છે તેવો કોને ઉપાદેય થયો છે? કે જે સાધક આત્મા છે.. અંતરાત્મા છે તેને પોતાનો આત્મા ઉપાદેય છે.. અને બીજું કાંઈ ઉપાદેય નથી. સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે.” ફૂટનોટમાં છેશિખામણી-ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. આ વાત અંતરાત્માની છે. અંતરાત્માને હેય અને ઉપાદેયનું જ્ઞાન નિરંતર સહજ વર્તે છે. તેને કરવું પડતું નથી. જે સાત તત્ત્વોનો સમુહ છે એ તેને પરદ્રવ્ય છે. પરદ્રવ્યથી તેની દૃષ્ટિ વિમુખ થઈ ગઈ છે. પરદ્રવ્યો એટલે જે સાત તત્ત્વોના પરિણામ તે પરદ્રવ્ય છે. હું તો ક્યાં છું ત્યાં નો ત્યાં છું. મારે વિમુખ થવાનું નથી અને સન્મુખે થવાનું નથી. જે પરિણામ ભેદની સન્મુખ થયા Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy