SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ લીધે, પરદ્રવ્ય થવાને લીધે તેમ નથી લખ્યું. “હોવાને લીધે ” એટલે તે અનાદિ અનંત પરદ્રવ્ય છે. જ્યારે પૂછો ત્યારે સાત તત્ત્વોનો સમુહ પરદ્રવ્ય છે. અને સ્વદ્રવ્ય નથી. ધર્મના પરિણામ પરદ્રવ્ય છે? હા, ધર્મના પરિણામ પરદ્રવ્ય છે. ધર્મી આત્મા સ્વદ્રવ્ય છે. ધર્મી એટલે અનંત ગુણો અનાદિ અનંત ધારી રાખે એવો ગુણી પરમાત્મા તે ધર્મી છે. એક સમયના પરિણામ જે સંવર-નિર્જરા અને મોક્ષ તે નાશવાન અર્થાત્ એક સમયની મુદતવાળા-આયુષ્યવાળા હોવાથી તે સંયોગ છે. સંવર-નિર્જરા અને મોક્ષ તે ધ્રુવ તત્ત્વનો સંયોગ છે, પરંતુ તે સ્વભાવ નથી. જે ઉત્પન્ન થાય અને જાય તેને સંયોગ કહેવાય છે. ઉત્પન્ન થાય તેને સંયોગ કહેવાય અને વ્યય થાય તેને વિયોગ કહેવાય છે. સંવર-નિર્જરા અને મોક્ષ તે પરદ્રવ્ય-સંયોગીભાવ છે તેથી તે ઉપાદેય નથી. એટલે કે એ પરિણામ હું છું એમ શ્રદ્ધા કરવા યોગ્ય નથી. શ્રોતા:- ધર્મના પરિણામને પરદ્રવ્ય કહ્યું તે ગજબની વાત છે. ઉત્તર- શુભાશુભ ભાવને તો પરદ્રવ્ય કહ્યું પરંતુ અહીંયા તો અનુભવી પુરુષ ધર્મના પરિણામને પરદ્રવ્ય કહે છે. ધર્મી સાધક આત્મા, ધર્મના પરિણામને હેય કહે છે. અરે ! મોક્ષને હેય કહેવાની તાકાત તો અનુભવીની છે. બીન અનુભવી પુરુષને ( તેની શ્રદ્ધામાં) આ વાત આવી શકતી નથી. પ્રશ્ન:- સાધક સ્વભાવને અને મોક્ષને બન્નેને ઓળખે છે માટે તે સરખામણી કરી શકે છે? ઉત્તર- તેણે સરખામણી કરી કે-ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા હું છું. હું તો શુદ્ધ ચિતૂપ છું. “શુદ્ધચિતૂપો-અહમ્'. હું તો ચિટૂપ એટલે જ્ઞાનઘન છું. જ્ઞાનઘન સ્વભાવમાં આ કોઈ પરિણામ પ્રવેશી શકતા નથી. એ ભાવો ઉપર ઉપર તરે છે. એ ભાવો આવે છે ને જાય છે, એ ટળતો ભાવ છે પરંતુ ટકતો ભાવ નથી. ટકતો ભાવ છે તે હું છું અને આ ટળતો ભાવ છે તે પરદ્રવ્ય હોવાને કારણે ય છે-ઉપાદેય નથી. સાત તત્ત્વરૂપ ભાવો છે તે ટળતા ભાવ છે-સંયોગીભાવ છે. તે ટકતોભાવ નહીં હોવાથી તે પરદ્રવ્ય છે. ધર્મના પરિણામ અને ધર્મનું ફળ મોક્ષ તે અનાદિ અનંત પરદ્રવ્ય હોવાને કારણે તે ગ્રાહ્ય નથી... પણ ત્યાજ્ય છે. ત્યાજ્યમાં ઉપેક્ષા છે. ત્યાજ્યમાં દ્રષબુદ્ધિ ન કરવી. જેને પર્યાય ઉપર દ્વષબુદ્ધિ આવે છે તે શુદ્ધાત્મદ્રવ્યની વાત કરતો હોય તો પણ તેનું જ્ઞાન મધ્યસ્થ નહીં થતું હોવાને લીધે તેને અનુભવ થતો નથી. આવા જીવો દૃષ્ટિના વિષયની વાતો કરવા છતાં તેનો જ્ઞાન ઉપયોગ અંદરમાં આવી શકતો નથી, કેમકે તેને પર્યાય ઉપર દ્વેષ આવ્યો છે. આ ભુતકાળની વાત ચાલે છે. તે પર્યાય તો હવે ગઈ. સમજી ગયા?! જેને પર્યાય ઉપર દ્વેષ આવે છે તેને શુદ્ધાત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. હેય છે તે હૈષવાચક શબ્દ નથી પરંતુ તે ઉપેક્ષાવાચક શબ્દ છે. જ્ઞાનમાં પર્યાયો ઉદાસીનપણે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy