SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં:- ૧ ગાથા૩૮ કર્તા નથી, કારણ નથી, કારયિતા નથી અને અનુમોદક નથી. ભગવાન આત્મા સમ્યગ્દર્શનનું કારણ નથી. એક સાઈડથી ભગવાન આત્માને સમ્યગ્દર્શનનું કારણ કહેવાય, પરંતુ એ વાતને અત્યારે ગૌણ કરે છે. અહીં અત્યારે કાર્ય સાપેક્ષ કારણની વાત નથી, પરંતુ કાર્ય નિરપેક્ષ કારણની વાત ચાલે છે. કાર્યની સાપેક્ષતાથી આત્માને કારણ પરમાત્મા કહેવાય છે. પરંતુ કાર્યથી નિરપેક્ષ જોવામાં આવે તો ભગવાન આત્મા મોક્ષનું કારણ નથી. આહા... હા! કહ્યું? આ સંવર નિર્જરાના જે પરિણામ છે તેણે મારું ધ્યાન કર્યું છે, છતાં એ પરિણામમાં મારું અસ્તિત્વ નથી. કેમકે તે પરદ્રવ્ય છે. એ પરિણામનો હું જનક નથી. એ ભાવો કર્મના અભાવની સાપેક્ષતાથી ઉત્પન્ન થયેલા હોવાથી તેને કર્મકૃત ભાવ કહેવામાં આવે છે. તેનો જન્મ મારાથી થયો નથી; જો મારાથી જન્મ થતો હોત તો આજ દિવસ સુધી તેનો જન્મ કેમ ન થયો? માટે તેનો જન્મદાતા પર છે. હું તેનો જન્મદાતા નથી. આ સમ્યગ્દર્શન કેમ પ્રગટ થાય તેના વિષયની ગાથા છે. કહે છે કે-સંવર-નિર્જરા અને તેના ફળમાં જે મોક્ષની પર્યાય પ્રગટ થઈ તે મને પદ્રવ્ય છે. કોઈ એમ તર્ક કરે કે-જે પ્રગટ પર્યાય છે તેને હેય કહેવાય, પણ મોક્ષની પર્યાય જે અપ્રગટ છે તેને ય કેવી રીતે કહેવાય? કેટલાક જીવોને આવી આશંકા ઉત્પન્ન થઈ શકે છે. મિથ્યાત્વ અવસ્થામાં સમ્યગ્દર્શનની પર્યાય તો અવિદ્યમાન છે. હવે જ્યારે મિથ્યાત્વ અવસ્થા હોય ત્યારે સમ્યગ્દર્શનની પર્યાય હેય છે એમ કેમ કહી શકાય ? કેમકે હોય તેને હેય કહેવાય પરંતુ જે ન હોય તેને હેય કેમ કહેવાય? આ તર્ક સમજાણો ? સાધક આત્મા એવા કુંદકુંદાચાર્ય લખે છે કે મોક્ષની પર્યાય અમને પ્રગટ થઈ નથી. પરંતુ અમને દેષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા..શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો, શુદ્ધનયનો વિષય શુદ્ધાત્મા જ્ઞાનમાં આવ્યો ત્યારથી તે શુદ્ધનયે એમ જાણ્યું છે કે-મોક્ષ પણ હેય છે. પ્રગટ થવાવાળા પરિણામ પણ હોય છે એમ અત્યારથી હું એનું પ્રત્યાખ્યાન કરી લઉં છું. શું કહ્યું? હોય તેની આલોચના અને ભૂતકાળનું પ્રતિક્રમણ. ભૂતકાળના ભાવોનું પ્રતિક્રમણ કહેવાય, વર્તમાનના પરિણામને આલોચના કહેવાય અને ભાવિના પરિણામ હજુ થયા નથી તેને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. મોક્ષના પરિણામ પ્રગટ નથી પરંતુ અત્યારથી હું તેનો ત્યાગ કરું છું. એટલે કે તે મને ઉપાદેય નથી, કેમકે તે પરદ્રવ્ય છે. સંવર, નિર્જરા અને મોક્ષ પરદ્રવ્ય છે તેથી તેમાં હું નથી. એ પરિણામ મારામાં નથી અને હું તેનો ઉત્પાદક નથી. મૂળ પાઠમાં શબ્દ છે “કર્મથી ઉત્પન્ન.” હરિગીતમાં છે-“જે કર્મથી ઉત્પન્ન ગુણ-પર્યાયથી વ્યતિરિક્ત છે”. વ્યતિરિક્ત એટલે રહિત છે. ભગવાન આત્મા સાત પ્રકારના પરિણામથી રહિત છે. એ સાત પ્રકારના પરિણામ પરદ્રવ્ય હોવાને Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy