SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૯૧ કરી, હેયનું સ્વરૂપ બતાવી અને પછી આત્મા કોને કહેવો તે કહ્યું. કર્મોઉપાધિ જનિત વિભાવગુણ પર્યાયોથી વ્યતિરિક્ત છે રહિત છે તે આત્મા આત્માને ઉપાદેય છે. ૩૮ ગાથામાં બાહ્યતત્ત્વ હેય કહ્યું અને અહીંયા આત્માને અંત:તત્ત્વ કહ્યું. ત્યાં પરદ્રવ્ય નહોતું કહ્યું પરંતુ ટીકાકારે પરદ્રવ્ય કહ્યું. અહીંયા એટલે ૫૦ ગાથામાં મૂળમાં કુંદકુંદભગવાને પરદ્રવ્ય કહ્યું છે. અને ટીકાકારે પદ્રવ્ય કહ્યું છે. તેમણે પરદ્રવ્ય કહ્યું તે બરોબર છે અને અમૃતચંદ્રાચાર્ય કહ્યું એ બરોબર છે. આમ ત્રણ આચાર્યોએ પરદ્રવ્ય કહ્યું છે. અંત:તત્ત્વ તેવો સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ઉપાદેય એટલે કે તેની સમીપે જઈને તેનું અહમ્ કરવું. તેમાં એકાગ્ર થવું ધ્યાનમાં લાગી જવું. ધ્યાનમાં ઉપયોગને જોડી દેવો. આ જાણનારો જણાય છે તે હું છું. જ્ઞાયક જે જાણનાર તત્ત્વ છે તે હું છું એમ જાણવું. એમ જાણવાથી લાભ થાય છે જ્ઞાયકના અસ્તિત્વથી લાભ નથી. કેમકે લાભ હાનિ પર્યાયમાં થાય છે. પર્યાયના લક્ષે નુકશાન થતું હતું અને સ્વના લક્ષ લાભ થવા લાગ્યો. સ્વના લક્ષ દુઃખગયું અને સુખ આવ્યું. આત્મા ઉપાદેય થતાં એવું પરિણમન છે. અનંતકાળથી યતત્ત્વ જે હતું તે ઉપાદેય થયું હતું તે તેનું ઉંધુ પરિણમન હતું. હવે તે જ્યારે ય થાય છે ત્યારે બીજી ચીજ ઉપાદેય થાય છે. પેલામાં મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન હતું. હવે આત્મા ઉપાદેય થતાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્રચારિત્રનું પરિણમન થયું. પરિણામ હેય છે તેમ કહીને તેનું લક્ષ છોડાવવું છે. જાણવાનું બંધ કરાવવું છે. આત્માને ઉપાદેય કહીને તેને જાણવાનું ચાલુ કરાવ્યું છે. અનંતકાળથી જે આત્માને જાણ્યો નથી તે આત્માને જાણ. પરિણામને જાણવાનું બંધ કર જેને નથી જાણ્યો તેને જાણ ! પ્રથમ આત્માને જાણ ! એક શુદ્ધાત્માને જાણતાં આખા વિશ્વ ઉપરથી મમતા છૂટી જાય છે. પછી તેને કયાંય મારાપણું દેખાતું નથી. એક અંત:તત્ત્વમાં મારાપણું સ્થાપ્યું છે બસ. સતી સ્ત્રીને પતિ એક જ હોય. તેને એક જ પુરુષ દેખાય છે, બીજા કોઈ પુરુષ દેખાતા નથી. તેમ એક વખત શ્રદ્ધા જ્ઞાન પ્રગટ થયું તે એકને દેખે છે. તે એક આત્માને જ મારાપણે દેખે છે, જગતની બીજી કોઈ ચીજ મારી નથી તેમ સહેજે આવી જાય છે. ટીકાઃ- “આ” એટલે આ ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે. તેનું મથાળું બાંધે છે. “આ હેય ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે.” હેયનો બીજો શબ્દ કહ્યો ત્યાગ. અને ઉપાદેયનો બીજો શબ્દ છે ગ્રહણ. હવે આખું જગત ત્યાગ ગ્રહણમાં પડ્યું છે. ત્યાગ એટલે છોડી દેવું અને ગ્રહણ એટલે કાંઈક ગ્રહી લેવું. પણ એવું ત્યાગ ગ્રહણનું સ્વરૂપ નથી. ત્યાગનો અર્થ પર્યાયનું લક્ષ છોડી દેવું અને ગ્રહણ એટલે સ્વરૂપનું લક્ષ કરવું. તેનું નામ ગ્રહણ છે. આ ત્યાગ ગ્રહણનો આટલો જ અર્થ છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy