SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ પરિશિષ્ટ - ૪ આહાહા..! અધ્યાત્મશાસ્ત્ર વિના ભેદજ્ઞાન નથી. આ ભેદજ્ઞાનની વાત છે. હેય ઉપાદેય એટલે ભેદજ્ઞાનની વાત છે. બે વચ્ચેનું એટલે દ્રવ્ય-પર્યાય વચ્ચેનું ભેદજ્ઞાન. પર્યાયમાં અહમ્ હતું તે છૂટીને દ્રવ્યમાં થાય છે. ત્યારથી મોક્ષમાર્ગ શરૂ થાય છે. પર્યાય દૃષ્ટિનો ત્યાગ તે જ ત્યાગ છે અને જે દ્રવ્યષ્ટિ થઈ તે જ દ્રવ્યનું ગ્રહણ છે. ગ્રહણ એટલે કોઈ પદાર્થને પકડવો તેવો અર્થ નથી. કોઈ પર્દાથને છોડવો તેનું નામ ત્યાગ નથી. કેમકે આત્મા છતે ગ્રહણત્યાગથી તો શૂન્ય છે. કોઈ આત્મા કોઈ પદાર્થને ગ્રહતો નથી અને કોઈ પદાર્થને છોડતો નથી. ખરેખર કોઈ પરભાવને છોડતો નથી. જ્ઞાન પ્રત્યાખ્યાન છે તેમાં ત્યાગ અને ગ્રહણ સમાય ગયા. ત્યાગ એટલે પરિણામને જાણવાનું બંધ કર, પરિણામનું લક્ષ છોડી દે અને દ્રવ્યનું લક્ષ કર તેમાં ત્યાગગ્રહણ થઈ ગયું. ઉપાદેયનો અર્થ જ એ છે કે-ઉપ+આદેયઋતેની સમીપે જઈને તેમાં અહમ્ કરવું તેનું નામ ઉપાદેય છે. જે કોઈ વિભાવગુણ પર્યાયો છે એટલે વિશેષ ગુણના પર્યાયો છે. તેઓ પૂર્વે ૪૯મી ગાથામાં વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા તે જાણવા માટે કહ્યું છે. ફૂટનોટમાં નીચે અર્થ છે. ઉપર મથાળામાં લખ્યું છે કે આ નિશ્ચયનય અને વ્યવહારનયના ઉપાદેયપણાનું પ્રકાશનનું કથન છે. ઉપાદેયનો નીચે અર્થ છે. “પ્રમાણભૂત જ્ઞાનમાં”, એટલે જે જ્ઞાન સ્વને અને પરને બન્નેને જાણે છે તેનું નામ પ્રમાણજ્ઞાન કહેવાય. સ્વને અને પરને બન્નેને ગ્રહણ કરે કે બન્નેને ત્યાગ કરે તેનું નામ પ્રમાણજ્ઞાન નથી. પ્રમાણજ્ઞાનમાં રાગ હેય અને શુદ્ધાત્મા ઉપાદેય તેમ પ્રમાણજ્ઞાનમાં ન હોય. પ્રમાણજ્ઞાનમાં બન્નેમાં છે' આવે... છે. દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે, બસ એટલું જ આવે છે. ય ઉપાદેય નયજ્ઞાનમાં હોય, પ્રમાણમાં ન હોય. મોસંબી છે તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. શેય કહો કે પ્રમાણજ્ઞાનનો વિષય કહો તે બન્ને એક જ છે. એટલે “પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યજ્ઞાન હોવું જોઈએ.” પર્યાયમાં શુદ્ધ-અશુદ્ધ પર્યાયના ભાગલા નથી. પછી પર્યાયો જે પ્રકારની હોય તે પ્રકારે તે તે રીતે તે પર્યાયનું સમ્યજ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત વિભાવ પર્યાયો વિધમાન છે તેવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય”, એટલે જે પર્યાયને ઉડાડે છે કે-પર્યાય છે જ નહીં, એકલું દ્રવ્ય જ છે અને પર્યાય નથી તેમ જાણવું ખોટું છે. કેમકે.. પોતાને વિભાવ પર્યાયો કથંચિ વિધમાન છે. એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય “તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહીં.” માટે વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે.” Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy