SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૯૦ પરિશિષ્ટ - ૪ અને પરદ્રવ્યો તૈય છે. સ્વદ્રવ્ય એટલે જ્ઞાયકભાવ. જ્ઞાયકભાવ તે સ્વ અને હું તેનો સ્વામી છું. હવે જ્યારે હેય કહ્યું ત્યારે તેમાં ૫રમ ઉપેક્ષા કરી. તેની ઉપેક્ષા અને જાણવાનું બંધ કરી દે. હવે કહે છે કે–આવો આત્મા તારી પાસે છે. અંતઃતત્ત્વ સ્વરૂપ આત્મા તો છે.. પરંતુ કેવળ તેના હોવાથી તને લાભ નહીં થાય. તેને ઉપાદેયપણે જાણવાથી તને લાભ થશે. હૈયમાં ઉપેક્ષા છે અને ઉપાદેયમાં અપેક્ષા છે. માટે હવે હેય તત્ત્વને જાણવાનું બંધ કર અને શુદ્ધાત્માને જાણવાનું ચાલુ કરી દે. કેમકે જે ઉપયોગે અંતર્મુખ થઈને જાણ્યું કે–“ આ હું” તેનું નામ ઉપાદેય તત્ત્વ છે. તેમાં આત્માનો અનુભવ થાય છે તેવો સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. છે તો બધાની પાસે પરંતુ એમ નહીં, તે ઉપાદેય છે. છે તો બધાની પાસે પણ.. જેને દૃષ્ટિમાં ઉપાદેયપણે-આદેયપણે આવે તેનું નામ અનુભૂતિ છે. હવે તું પર્યાયને જાણવાનું બંધ કરી દે! પર્યાયનું લક્ષ છોડી દે ! તેની ઉપેક્ષા કર! હવે ઉદાસીન થઈને પણ તેને જાણમાં કે એ પરભાવ છે. તેને સ્વદ્રવ્યપણે નથી જાણતો પરંતુ ૫૨૫ણે જાણવાનું બંધ કરી દે ! તેને જાણવાથી તને શું પ્રયોજન છે. એ પદ્રવ્ય છે એટલા માટે તું જાણવા જાય છે કે–આ ૫૨દ્રવ્ય છે. તો હવે તેને જાણવાનું સર્વથા બંધ કરી દે અને એકલા આત્માને જાણ, તેનું નામ સ્વપ્રકાશક છે. તેનું નામ શુદ્ઘ દ્રવ્યાર્થિકનય છે. તેનું નામ શુદ્ઘનય છે. જે ઉપાદેય થાય છે તે શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે. અને જે ઉપાદેયપણે જણાય છે તે અંતઃતત્ત્વ આત્મા છે. ઉપાદેય થયો તેમાં ક્રિયા થઈ અને પેલો તો નિષ્ક્રિય છે. આવો સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. એટલે અંતરમાં જઈને સામાન્ય ટંકોત્કીર્ણ જ્ઞાનાનંદ ૫રમાત્મા છે તે જ હું છું.. એવું અભિમુખ થઈને જે પરિણમન થયું અને જાણેલાની પ્રતીતિ થઈ તેનું નામ ઉપાદેય છે. તેનું નામ અનુભૂતિ છે. તેનું નામ મોક્ષમાર્ગ છે. પદ્રવ્યનું લક્ષ છોડ અને સ્વદ્રવ્યનું લક્ષ કર. કેમકે લક્ષ ફેરે ફેર છે. આ બે તત્ત્વ હાજરા હજૂર છે ને !? એક પરદ્રવ્ય પણ છે અને બીજું સ્વદ્રવ્ય પણ છે. પરદ્રવ્યના લક્ષ સંસાર છે અને સ્વદ્રવ્યના લક્ષે મોક્ષનો માર્ગ છે. આનંદનો માર્ગ છે. અહીંયા પરદ્રવ્ય કહ્યું. જ્યારે ૩૮મી ગાથામાં સાતેય તત્ત્વોના સમુહને હૈય કહ્યો. ૩૮ ગાથામાં પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી તેમ કહ્યું હતું. ટીકાકારે પદ્રવ્ય કહ્યું. જ્યારે અહીંયા કુંદકુંદભગવાન ૫૨દ્રવ્ય કહે છે. પૂર્વોક્ત સર્વેભાવો પરદ્રવ્ય છે અને જેટલા ભાવોનું વર્ણન કર્યું તે પરદ્રવ્યો છે.. માટે હેય છે. અને અંતઃતત્ત્વ તેવું સ્વદ્રવ્ય, ૩૮ ગાથામાં સાત તત્ત્વોને બક્તિત્વ કહ્યું હતું અને આ ગાથામાં આત્માને અંતઃતત્ત્વ કહ્યું. સૂક્ષ્મ રુચિવાળા જીવો માટે ૩૮ અને ૫૦ ગાથા બે તો બસ છે. જીવાદિ બાહ્ય તત્ત્વ હૈય છે. કર્મોપાધિ ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. ૩૮માં જીવાદિ બાહ્યતત્ત્વને હેય કહ્યું અને ૫૦માં ૫૨દ્રવ્ય કહ્યું. ૩૮ ગાથામાં આત્માની વ્યાખ્યા નાસ્તિથી Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy