________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૯
શુદ્ધ અંત:તત્ત્વ
પરિશિષ્ટ - ૪) તા. ૧૬/૨/'૮૯ પ્રવચન નં :-૧૮ સ્થળ:- દિવાનપરા-રાજકોટ
શુદ્ધભાવ અધિકારની ખરેખર છેલ્લી ગાથા ૫૦ છે. કારણ કે-પ૧ થી ૫૫ ગાથામાં વિષય ફરે છે.
મૂળ પાઠમાં છે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય એટલે નિજ દ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચે ભેદજ્ઞાનની વાત છે.
અન્વયાર્થ:- “પૂર્વોક્ત સર્વ ભાવો”, જેટલા જેટલા ભાવોનું અને વર્ણન કર્યું છે કે-આ જીવમાં નથી, જીવમાં નથી, જીવમાં નથી એ સર્વ પ્રકારના ભાવો એટલે પરિણામોપર્યાયો-અવસ્થાઓ તે પરસ્વભાવો છે, પરદ્રવ્યો છે. અને તે કારણે હેય છે. એટલે તેનું લક્ષ કરવા યોગ્ય નથી. હેયનો અર્થ એટલો જ કે–તેનું લક્ષ છોડી દે ! તેનાથી અજ્ઞાત થઈ જાઓ. પરિણામને જોવાનું બંધ કરવું તેનું નામ હેય છે. તેની ઉપેક્ષા એટલે તેની સામે જોવું જ નહીં. તેને હેયપણે ન જોવું અને શેયપણે પણ ન જોવું. પરિણામો ઉપાદેયપણે તો છે જ નહીં, પરંતુ આ હેય છે અને આ જ્ઞય છે તેમ પણ જાણવા યોગ્ય નથી. તેની પરમ ઉપેક્ષા કરવા યોગ્ય છે. બિલકુલ તેનું લક્ષ છોડી દેવું. સર્વાશે નિઃશેષપણે ઉપયોગને અંતર્મુખ વાળવો. કાંઈ પણ બાકી રાખ્યા વગર આખાયે ઉપયોગને અંતરમાં વાળવો. થોડોક ઉપયોગ હેય તત્ત્વને જાણે અને થોડોક ઉપયોગ ઉપાદેય તત્ત્વને જાણે એમ નથી.
હેયનું કારણ આપ્યું કે-પર્યાયો પરસ્વભાવો છે અને પરદ્રવ્ય છે માટે હેય છે. કેમકે તેનું લક્ષ થતાં શુદ્ધાત્માના દર્શન નહીં થાય, અથવા તેના લક્ષે રાગ જ ઉત્પન્ન થશેવિકલ્પ જ ઉત્પન્ન થશે. તેનાં લક્ષ શુદ્ધોપયોગ નહીં થાય, નિર્વિકલ્પ ધ્યાન નહીં થાય.. માટે તે હેય છે.
પરદ્રવ્ય જે છે તેને જાણવામાં નુકશાન થાય છે માટે તેનો કર્તા તો તું છો જ નહીં. કેમકે જે પર દ્રવ્ય હોય તેને કરી શકાતું નથી. પરદ્રવ્યની સાથે કર્તાકર્મ સંબંધ નથી ત્યાં સુધી તો શિષ્ય આવી ગયો છે. હવે એ પરદ્રવ્યને જાણવું એ પણ છોડી દે! તેને શેયપણે જાણવું છોડી દે! કેમકે પરદ્રવ્યને શેય બનાવતાં સ્વદ્રવ્ય ય નહીં બને. માટે તું પરમ ઉપેક્ષા કર. એકલી ઉપેક્ષા કર તેમ નહીં તેની પરમ ઉપક્ષા કર... એટલે કે સર્વથા બંધ કરી દે! તેના તરફ જાણવાનું સર્વથા બંધ કરી દે.
તે “પ૨વું પરાવનિરિ દેય” તે કારણે તે હેય છે. હવે પરિણામ હેય છે તો કોઈ ઉપાદેય હોય જ. અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય એટલે એકલો જ્ઞાનાનંદ પરમાત્મા સામાન્ય સામાન્ય... ટંકોત્કીર્ણ એવો જે ચૈતન્ય સ્વભાવ તેવુ અંત:તત્ત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. સ્વદ્રવ્યને આત્મા કહ્યો અને તેથી તે ઉપાય છે. અને તેથી પર સ્વભાવો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk