SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૬૪ પરિશિષ્ટ - ૨ એ બે પ્રકારનો ભેદ પર્યાયની પ્રધાનતાથી પડયો છે. એક સુદૃષ્ટિ અને એક કુદૃષ્ટિ. એ બન્નેમાં અમે તેનાં પરિણામને જોતા નથી. જોતા નથી એટલે પરિણામને જોવાની મારી પાસે ચક્ષુ જ નથી. મારામાં શુદ્ધતા છે અને તેનામાં શુદ્ધતા છે. અમે અમારા પરિણામને જાણતાં નથી તેથી અમે બીજાના પરિણામને પણ જાણતા નથી. અમે અમારા શુદ્ધાત્માને જાણીએ છીએ અનુભવીએ છીએ તો અમારો આત્મા અનાદિનો શુદ્ધ છે.. એમ જ્ઞાનમાં શેયપણે જણાય છે. અમારો આત્મા અમારા જ્ઞાનમાં જેવો જણાયો તેવા જ બધા આત્માઓ છે. અમારી પાસે પરિણામને જોવાની ચક્ષુ જ નથી. પરિણામને જોવાનું જ્ઞાન અમારી પાસે નથી કેમકે શુદ્ઘનય એક જ છે.. તેથી શુદ્ધાત્મા એક જ છે. આહા ! જીવના બે પ્રકાર નથી. (૧) સમ્યગ્દષ્ટિ અને (૨) મિથ્યાર્દષ્ટિ. એ તો પર્યાયના બે પ્રકાર છે. અથવા તો એ ૫દ્રવ્યના બે પ્રકાર છે. જુઓ! પરિણામ છે, પરિણામને જાણનાર એક પર્યાયાર્થિકનય છે. વ્યવહારનય છે ખરી.. પણ, આહાહા ! મેં તેને જાણવાનું બંધ કર્યું છે. અને તું પણ તેને જાણવાનું બંધ કરી દે. જે જ્ઞાનવડે હું શુદ્ધાત્માને જાણું છું તે જ જ્ઞાનવડે તું શુદ્ધાત્માને જાણ.. તો તને સમ્યગ્દર્શન થઈ જશે. બીજી વ્યવહારનય છે કે નથી તે અમે જાણતાં જ નથી. આહા ! તે હો તો હો ! અને ન હો તો ન હો ! પરંતુ શુદ્ધનય તો છે.. છે.. ને છે. કેમકે તે શુદ્ધને પ્રગટ કરે છે. સુદૃષ્ટિ હો કે કુદૃષ્ટિ હો તેવા બે પ્રકાર વ્યવહારનય કહે છે. વ્યવહારનય બે પ્રકારના જીવ કહે છે તે વાત જૂઠી છે. જીવ ત્રણેકાળ એક જ પ્રકારનો હોય. જીવના બે પ્રકાર ન હોય. સંવર અને આસ્રવ તેવા પર્યાયમાં બે ભેદ છે, જીવમાં બે ભેદ નથી. સુષ્ટિ એટલે સંવ-નિર્જરા તત્ત્વ અને કુદૃષ્ટિ એટલે આસ્રવ, બંધ તત્ત્વ તે જીવ નથી. અમે જીવની વાત કરીએ છીએ. જીવને પ્રથમથી જ અનાદિથી જ શુદ્ધતા છે. શુદ્ધતા થાય છે એમ લખ્યું નથી. પ્રત્યેક આત્મા સ્વભાવે શુદ્ધ છે. શુદ્ઘનયથી જોનારને આત્મા શુદ્ધ ભાસે છે. અમે અમારા આત્માની અંતરસન્મુખ થઈને, પરિણામનું લક્ષ છોડીને અમે ત્રિકાળી શાશ્વત દ્રવ્યનું લક્ષ કર્યું તો અમને એમ દેખાયું કે–આત્મા અનાદિનો શુદ્ધ છે. આત્મા અનાદિનો શુદ્ધ છે તેમ જણાયું. કાલે અશુદ્ધ હતો અને આજે શુદ્ધ થયો તેવું અમારી પાસે જ્ઞાન જ નથી. એવું જ્ઞાન અત્યારે અસ્ત થઈ ગયું છે. જ્યારે વ્યવહારનય અસ્ત થાય છે ત્યારે શુદ્ધનય ઉદય થાય છે. ,, આહાહા ! એ શુદ્ઘનય વડે મેં મારા આત્માને જાણ્યો. હું મને મુનિ તરીકે જાણતો જ નથી. મુનિ છે તે પરિણામનો ધર્મ છે. દ્રવ્ય તો પ્રથમથી જ અનાદિથી જ શુદ્ધ છે ૫રમાત્મા છું. –“ સવ્વ શુદ્ધા શુદ્ઘનયા આ દ્રવ્યસંગ્રહનો પાઠ છે. આ પાઠ ધવલ મહાધવલ છે ને તેમાંથી ઉતરી આવેલો પાઠ છે. શુદ્ધનયથી જોવામાં આવે તો બધા આત્માઓ શુદ્ધ છે. પછી તે અંતરાત્મા હોય, બહિરાત્મા હોય કે ૫રમાત્મા હોય, તે Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy