SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૩ શુદ્ધ અંત:તત્ત્વ સોનાની પર્યાય છે. તે સોનાના પરિણામ છે તે ચાંદીના કે લોઢાના પરિણામ નથી. તે સોનાના પરિણામ હોવા છતાં તે સોનું નથી. ચેઈન, બંગડી, મંગળસૂત્ર તે સોનાના પરિણામ છે. એ જે સોનાની અવસ્થાઓ છે તે સોનું નથી. સોનું તો અવસ્થાઓની સાથે અન્વયરૂપે રહેલું છે. અવસ્થાઓ પલટે છે પણ સોનું પલટતું નથી. એક પાંચ તોલાની બંગડીના ક્રમે ક્રમે દસ ઘાટ કરવામાં આવે છે. એક ઘાટ કરે, પાછો ભાંગીને બીજો ઘાટ કરે, તેની ઘડાઈના પૈસા આપે પરંતુ સોનું તો પાંચ તોલાનું પાંચ તોલા જ રહે છે. એ પણ પ્રમાણિક સોની પાસે કરાવે તો.. બાકી સોનું ખાય જાય છે. સોનું તો પાંચ તોલાના પાંચ તોલા જ રહે છે. કિંમત સોનાની છે કે ઘાટની છે? સોનીને ઘાટની કિંમત નથી. જો ઘાટ ઉપર નજર હશે તો એક ઘાટ સારો લાગશે અને એક ખરાબ લાગશે, તો રાગ ને દ્વેષ થશે. પરંતુ સોના ઉપર નજર રાખશે તો રાગ પણ નહીં થાય અને દ્વેષ પણ નહીં થાય. એમ અહીંયા કોઈ સુબુદ્ધિ હો કે કોઈ મિથ્યાષ્ટિ હો! બન્ને પ્રથમથી, ત્રણેકાળ સિદ્ધ સમાન બધા આત્માઓ છે. કૂતરાને જોઉં, હાથીને જોઉં, કીડીને જોઉં કે માણસને જોઉં, દેવને જોઉં તો બધા ભગવાન આત્માઓ છે. હું કોના ઉપર રાગ કરું ને કોના ઉપર દ્વેષ કરું. કેમ કે મને કોઈની પર્યાયો જણાતી જ નથી. પર્યાયની પાછળ રહેલો ભગવાન પરમાત્મા છે. બધા આત્મા છે તેથી દ્રવ્ય અપેક્ષાએ બધા સાધર્મી છે. જેવો મારો આત્મા છે તેવો જ બધાનો આત્મા છે. જે સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” અનાદિથી જ શુદ્ધ છે. બધા આત્મા પરિપૂર્ણ પરમાત્મા છે. કીડીમાં રહેલો આત્મા, માંકડમાં રહેલો કે મચ્છરમાં રહેલો આત્મા પણ પરમાત્મા છે. સુબુદ્ધિઓને એટલે અંતરાત્માની દશા જેને થઈ હોય તેમજ કુબુદ્ધિ એટલે બહિરાત્મા હોય તે બે પ્રકારના પરિણામ છે કે બે પ્રકારના જીવો છે? એક સમ્યગ્દષ્ટિ અને એક મિથ્યાષ્ટિ છે. “સુ” અને “કુ’ આ રીતે લખ્યું છે. સુબુદ્ધિની સામે કુબુદ્ધિ લખ્યું. કુબુદ્ધિ એટલે વિપરીત માન્યતા. બે પ્રકારના પરિણામ જીવોના થાય છે તેમાં કોઈને સભ્યતા હોય અને રાગાદિ હોય એટલે કુબુદ્ધિ હોય. અહીં કહે છે કે-તેમને બન્નેને પ્રથમથી જ શુદ્ધતા છે. તેનામાં તો અનાદિથી શુદ્ધતા પડી છે. જે શુદ્ધતા પ્રગટ થાય છે તે પણ અમારા જ્ઞાનનું જ્ઞય નથી. અજ્ઞાનીને જે અશુદ્ધતા પ્રગટ થાય છે તે પણ અમારા જ્ઞાનનું શેય નથી. અમારી પાસે એવું જ્ઞાન જ નથી કે જે પર્યાયને જાણે. કેમકે જે દ્રવ્યને જાણવાનું ભૂલીને પર્યાયને જાણવા જાય છે તો તેને પર્યાયદેષ્ટિ ઉત્પન્ન થાય છે. કોઈ મિથ્યાષ્ટિ હોય કે કોઈ સમ્યગ્દષ્ટિ હોય તેની સાથે મારે કોઈ સંબંધ નથી. Please inform us of any errors on [email protected]
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy