SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૯ શુદ્ધ અંત:તત્ત્વ આત્માને શુદ્ધ જાણે છે તે બધા જીવોને ભગવાન જાણે છે. તે ભગવાન કહીને બોલાવે છે. - ભગવાન કહીને બોલાવે છે તેનું કારણ શું છે? તેમને એક જ નય છે કે-જે ભગવાનને જ પ્રસિદ્ધ કરે છે. સ્વ હો કે પર હો! પરંતુ ભગવાનને જ પ્રસિદ્ધ કરનારી શુદ્ધનય છે. એ શુદ્ધનય દ્વારા બીજા જીવોની સામે જોવું ન પડે. પોતાના આત્માને જેણે શુદ્ધ જાણો તેણે સર્વ આત્મા શુદ્ધ છે તેમ જાણ્યું. જે નય વડે પોતાનો આત્મા જણાયો એ નયથી બધા શુદ્ધ છે, કોઈ અશુદ્ધ નથી તેમ જણાયું. “સુબુદ્ધિઓને તેમજ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા .” પ્રથમથી એટલે અનાદિથી. શુદ્ધતાની શરૂઆત ન થાય અને અશુદ્ધતાનો અભાવ ન થાય. શું કહ્યું? ફરીને...! અશુદ્ધતાનો અભાવ થાય તેને અમે આત્મા કહેતા નથી. અને શુદ્ધતાની શરૂઆત થાય તેને પણ અમે આત્મા કહેતા નથી. જે પ્રથમથી જ શુદ્ધ છે તેને અમે આત્મા કહીએ છીએ. આમાં સમજાણું? શું કહે છે? પહેલાં મિથ્યાષ્ટિ હતો અને પછી અશુદ્ધતાનો અભાવ થાય અને હવે સમ્યગ્દષ્ટિ થયો તેને અમે આત્મા જ કહેતા નથી. અથવા તેને જાણનારી કોઈ નય નથી. અશુદ્ધતાનો અભાવ થાય અને શુદ્ધતા થાય એવું આત્માનું સ્વરૂપ જ નથી. અહીંયા તો ત્રિકાળી શુદ્ધતાની વાત ચાલે છે. શ્રોતા:- શુદ્ધતાની શરૂઆત થતી નથી...!? ઉત્તર:- શુદ્ધતાની શરૂઆત થતી નથી. અશુદ્ધતાનો નાશ થાય અને શુદ્ધતાની શરૂઆત થાય, એને અમે આત્મા કહેતા નથી. એને જાણનારી અમારી પાસે નય નથી. કેમકે આત્મા એવો નથી. ધ્યાન રાખજો હોં ! ખૂણે-ખાંચરે પણ પર્યાય દૃષ્ટિ રહી જાય છે. દ્રવ્યલિંગી મુનિની સૂક્ષ્મ ભૂલ હોય કાંઈ સ્થૂળ ભૂલ ન હોય. તું પર્યાય ઉપર નજર કરે છે અને હું દ્રવ્ય ઉપર નજર કરીને કહું છું-મને કોઈ મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ દેખાતું નથી. તારી નજર પર્યાય ઉપર છે, અમારી નજર દ્રવ્ય ઉપર છે. તમારો ને અમારો વાંધો અનાદિથી ચાલ્યો આવે છે. (શ્રોતા:- પૂર્વને પશ્ચિમ જેટલો તફાવત છે.) હા, પૂર્વને પશ્ચિમ જેટલો તફાવત છે. આહા હા ! પરના પરિણામને તો જોવાનો પ્રશ્ન જ નથી. બીજા શું કરે છે અને શું માને છે તેમ જોવાનું નથી. પ્રમાણજ્ઞાનની બહાર ઉપયોગને લગાવે તો ઉપયોગનો દૂર ઉપયોગ થઈ જાય છે. પોતાના આત્માને જાણવામાં ઉપયોગ રોકાઈ જાય તે ઉપયોગનો સઉપયોગ છે. અથવા સંવરયોગ છે. અમને તેમનામાં કોઈ પણ તફાવત દેખાતો નથી. જે તફાવતથી જોવે છે તે નય જ નથી. તેને અમે જ્ઞાન એટલે નથી કહેતા કે-તે અન્યથા કથન કરે છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે અન્યથા કેમ ? એક મિથ્યાષ્ટિ છે ને એક સમ્યગ્દષ્ટિ છે તેમ કથન કરે છે. જીવ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy