________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૫૧
ખરા જ. એવા જીવો અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. એટલે મોક્ષ દશાને પામી જાય છે. આહા ! પૂર્ણ આનંદની પ્રાપ્તિ તેનું નામ મોક્ષ છે. પૂર્ણ આનંદની ઉપલબ્ધિ તેનું નામ મોક્ષ છે.
પ્રશ્ન:- આ બધા ભાવો આત્મા નથી એટલે પુદ્ગલના છે, કે તે પુદ્ગલના એટલે આત્માના નથી ?
ઉત્ત૨:- પુદ્ગલના છે માટે તે આત્માના નથી. એ ક્ષાયિકભાવ કર્મના અભાવની અપેક્ષા આવી ને ? તો સાપેક્ષ થઈ ગયાં ને ?
પ્રશ્ન:- ક્ષાયિકભાવનું લક્ષ આત્મા પ્રત્યે થયું ને ?
ઉત્ત૨:- આત્મા પ્રત્યે થયું. પરંતુ તે ક્ષાયિકભાવ એવું નામ ક્યારે પડયું કે-કર્મનો અભાવ થયો એવી અપેક્ષા આવી તેથી એ સાપેક્ષભાવ થયો. કર્મ સાપેક્ષભાવને કર્મ કહેવામાં આવે છે. છે તો જીવના પરિણામ, પરંતુ અહીંયા પરિણામનું લક્ષ છોડાવીને દ્રવ્ય સ્વભાવનું લક્ષ કરાવવું છે. અનાદિકાળથી પર્યાયબુદ્ધિ હોવાથી... તે ક્ષાયિકભાવ મારા છે. મારે પ્રગટ કરવા છે અને હું તેનો સ્વામી છું. તો તેને કહે છે–સાંભળ ! સાંભળ ! તારાથી એ પરિણામ ભિન્ન છે. જે તારાથી ભિન્ન છે તેનો તું કર્તાય નથી અને સ્વામી પણ નથી.
ખરેખર તો પરિણામનો કર્તા પરિણામ છે. આત્મ દ્રવ્ય તેનો કર્તા નથી તો બીજું કોઇ દ્રવ્ય તેનું કર્તા હોવું જોઈએ. એટલું બતાવવા માટે પુદ્ગલનાભાવ કહેવામાં આવે છે. ખરેખર તો પરિણામ પરિણામના ષટ્કારકથી પરિણમે છે. તેનો ઉપાદાન કર્તા આત્મા પણ નથી અને પુદ્ગલદ્રવ્ય પણ નથી. ખરેખર પુદ્ગલ દ્રવ્ય કર્તા નથી પરંતુ તેને સાપેક્ષ ગણીને પુદ્ગલના ભાવ કહેવામાં આવે છે. તેને સ્વભાવની દૃષ્ટિ કરાવવી છે. એ બધું ૫૨માર્થ પ્રતિક્રમણ હવે લેવું છે તેમાં વધારે સ્પષ્ટ થશે.
ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે–જે સકલ નિરાવરણઅખંડ-એ ક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધપારિણામિકભાવ લક્ષણ નિજ ૫૨માત્મદ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી કે ખંડજ્ઞાનરૂપ હું છું. (શ્રી સમયસાર તાત્પર્યવૃત્તિ ટીકા ગાથા ૩૨૦ ની ટીકામાંથી )
,,
66
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk