________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૯ જીવક્રોધ અને એક અજીવક્રોધ અજીવમાં ક્રોધ થાય છે. અહીંયા તેનું જ્ઞાન થતાં એ ક્રોધ મારામાં થયો તેમ અજ્ઞાનીને ભાવકર્મની ઉત્પત્તિ થઈ ગઈ. ભાવક્રોધ થાય છે બીજામાં અને માને પોતાનામાં છે ભાવ બીજાનો અને માને પોતાનો શ્રીમદ્જીએ કહ્યું છે કે – જીવની ભૂલ એટલી કે તે પોતાને ભૂલીને પરને પોતાનું માનવું.
અહીં પર કહેતાં પરિણામ પર એટલે એ પરદ્રવ્ય છે. એ. પરિણામને પરદ્રવ્ય કહે છે તે ગોઠે નહીં–બેસતું નથી. ગોઠ તો અંદરમાં ઉતરતું નથી. એ કહે છે કે- બધાં પુદ્ગલ દ્રવ્યના ભાવો એટલે ત્યાં દ્રવ્યકર્મ લેવું, સમજી ગયા ? ચાર પ્રકારના જે ક્ષયોપશમના ભાવો છે તેને દ્રવ્યકર્મની સાથે સર્ભાવ સંબંધ અને અભાવ સંબંધ છે. નોકર્મની સાથે સંબંધ નથી. તેથી એ પુદ્ગલદ્રવ્યના ભાવો છે. તે ખરેખર આત્મા નથી. આ ઉપશમ સમ્યગ્દર્શન તે આત્મા નથી.
મિથ્યાદર્શનના પરિણામ તો આત્મા નથી કેમ કે તે પુદ્ગલનો ભાવ છે. પણ ઉપશમ સમ્યગ્દર્શન કે ક્ષાયિક સમ્યગ્દર્શન એ પણ પુદ્ગલના ભાવો છે તે જીવના ભાવો નથી.
પુદ્ગલના ભાવો કહીને કહેવું છે શું? એમ કહીને તેનાથી ભેદજ્ઞાન કરાવવું છે. એ જીવના ભાવો નથી તેથી ખરેખર જીવ નથી. જીવ તેનાથી જુદો છે. આહા.. હા ! એ પરિણામ માત્રથી જીવ ભિન્ન છે. શુદ્ધ જીવાસ્તિકાયથી એટલે મારાથી અન્ય, અનેરાં, બીજા એવાં એ બધા પુદ્ગલ દ્રવ્યના ભાવો તે ખરેખર આત્મા નથી. ખરેખર પુદ્ગલ દ્રવ્યનો ભાવ છે તે આત્મા ક્યાંથી થાય? આ અધ્યાત્મમાં ક્યાંક-ક્યાંક આવી વાતો હોય છે. આ હા.. હા !
શુદ્ધાત્માનું લક્ષ કરાવવા માટે ક્ષાયિકભાવને પણ પુદ્ગલનો ભાવ કહે છે-એ તો અનુભવી પુરુષ કહી શકે બીજાની તાકાત નથી. અને પાત્ર ઝીલી શકે છે અપાત્રનું કામ પણ નથી. બે વાત કરી. બરાબર? પેલા ભાઈ કહે છે બરાબર.
કહ્યું? એ. અનુભવી પુરુષ જ કહી શકે છે આ પુદ્ગલના ભાવો હોવાથી ચૈતન્ય પરમાત્માથી ભિન્ન છે, તેમ અનુભવી પુરુષે કહેલું છે. સર્વજ્ઞની પરંપરામાં તેના ગુરુ પાસેથી એ વાત આવી છે. અને તેમણે સાક્ષાત પ્રત્યક્ષ આત્માનો અનુભવ કર્યો કેખરેખર તે પુદગલના ભાવ છે. કેમ કે તે મારાથી ભિન્ન છે. તે મારી જાતની સાથે મળતા નથી.
હું નિરપેક્ષ છું અને એ ભાવો કર્મ સાપેક્ષ હોવાથી કર્મકૃત છે. શું કહ્યું? ન્યાય આપવામાં આવે છે. આ ચાર પ્રકારના ભાવો છે એ કર્મ સાપેક્ષ છે. તે કર્મના સભાવની અપેક્ષા રાખે છે. કેટલાક પરિણામ કર્મના અભાવની અપેક્ષા રાખે છે. તેથી એ બધા પુલના કર્મો (કાર્યો) હોવાથી એ બધા સાપેક્ષ ભાવો પુલના ભાવો છે. હું તો નિરપેક્ષ છું. મને કર્મના ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમની અપેક્ષા નથી. કેમકે હું તો પરમ પારિણામિકભાવ છું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk