SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૪૮ પ્રવચન નં:- ૧૪ ગાથા-૫૦ તેવા જ્ઞાનની શક્તિમાં સ્વ૫૨પ્રકાશક શક્તિ હોવાથી તે ભાવો ઉપેક્ષારૂપે જણાય છે. આ બધા ભાવો મારાથી ભિન્ન છે, અન્ય છે એટલે તેના પ્રત્યે ઉપેક્ષા આવી જાય છે. આ ભાવો મારા નથી. તે ખરેખર આત્મા નથી. આત્માતો એક જ પ્રકારનો છે. પ્રમત્ત અપ્રમત્ત તેવા આત્માના બે પ્રકાર નથી. આત્માના ચૌદ પ્રકાર કે સાત પ્રકાર કે નવ પ્રકા૨ એ આત્માના નથી. આત્મા તેનો કર્તા નથી. આહા ! એ બધા ભાવોને ઉત્પન્ન કોણ કરે છે! તો કહે છે કે-પુદ્ગલ કરે છે પણ હું તેનો કર્તા નથી. પુદ્ગલ કરે છે તે સિદ્ધ નથી કરવું પણ હું તેનો કર્તા નથી. હું અકર્તા છું. કેમકે તે મારાથી ભિન્ન છે. ૫૨માર્થ પ્રતિક્રમણમાં અકર્તાનું આવવાનું છે ને તેથી એ ભાવ ઘૂંટાય છે. આ કળશ પછી હમણાં અકર્તાનું આવશે. આ ભીંત છે ને ભીંત એ નોકર્મ છે. તેનામાં ચાર પ્રકારના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ છે. તેની વીસ પ્રકારની પર્યાયો થાય છે. સમજી ગયા ? પુદ્ગલની, નોકર્મની પર્યાયો ભિન્ન છે. નોકર્મ ભિન્ન છે અને કર્મ ભિન્ન છે. તે બન્ને એક જાતના પુદ્ગલ છે. પરંતુ ભીંતમાં ક્રોધ નથી, પરંતુ દ્રવ્યકર્મમાં તો ક્રોધના પરિણામ થાય છે. ભીંતમાં સુખ દુઃખના પરિણામ થતા નથી. પરંતુ દ્રવ્યકર્મમાં તો સુખ-દુઃખનો ૨સ અંદ૨માં ૨હેલો છે. હવે જ્યારે તેનો ઉદય આવે છે અને એમાં જોડાય છે ત્યારે અહીંયા તે સ્વભાવને ભૂલીને અજ્ઞાની ભાવકર્મને ઉત્પન્ન કરીને સુખ-દુઃખને વેદી લ્યે છે. આહા ! તે નિમિત્ત છે, અને અહીંયા નૈમિત્તિક ભાવે અજ્ઞાની ૫૨નું લક્ષ કરીને.. તે અનાદિકાળથી પરિણમી રહ્યો છે. હવે કહે છે લક્ષ ફેરવ. 66 લક્ષ થવાને તેને શાસ્ત્ર કહ્યાં સુખદાય.” આ શાસ્ત્રની રચના શેના (કોના ) માટે છે ? માત્ર શુદ્ધાત્માનું જ લક્ષ કરવા માટે આ શાસ્ત્રની રચના થઈ છે. એમાં એ આ જે શુદ્ધભાવ-શુદ્ધઆત્મા છે તે એક ને જ તેણે અનંતકાળથી લક્ષમાં લીધો નથી. એક સમય-ક્ષણમાત્ર તો લક્ષમાં લે! કાલે જયોતિબેનના ઘેર ગયો હતો તો તેનો દીકરો રાજુ છે તે પૂછતો હતો કે–એક ક્ષણ પણ આત્માનો અનુભવ થાય તો ! મે કહ્યું એક ક્ષણ થાય તો બસ થઈ ગયું. એક ક્ષણ અનુભવ થાય તો બસ થઈ ગયું. પરંતુ એ અનુભવ થાય કોને ? અને કેમ થાય ? જેનું ધ્યાન કરવું છે તેનું જો સ્પષ્ટ જ્ઞાન ન હોય તો સર્વજ્ઞ ભગવાને કહેલો શુદ્ધઆત્મા તે પ્રથમ સત્ સમાગમે સમજવો જોઈએ. અહીંયા કહે છે કે-એ નોકર્મમાં જે સ્પર્શ, રસ, ગંઘ, વર્ણની વીસ પર્યાયો થાય તે તો જુદી છે. પણ જે દ્રવ્યકર્મ છે ને તેની સાથે જીવનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અજ્ઞાનદશામાં નિયમરૂપ થાય છે. નોકર્મમાં નિયમ રહેતો નથી. કેમ કે જીવ જ્યારે વિગ્રહગતિમાં જાય ત્યારે નોકર્મ તો નથી, પરંતુ દ્રવ્યર્મનો ઉદય તો છે. તેથી એક Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy