________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૪૭ ચિદાનંદ આત્મા એનાથી એટલે મારાથી એ ભાવો ભિન્ન છે. મારાથી અન્ય એટલે અનેરા-જુદા-ભિન્ન છે. એવા જે સઘળાય પરિણામો, મારા સિવાય જેટલા પરિણામો પ્રગટ થાય છે. જેટલા પ્રકારની અવસ્થા થાય છે તે અનાદિ અનંત અવસ્થા થયા જ કરે છે. કોઈ અવસ્થા થવી અટકી પડે તેમ કોઈ કાળે બનતું નથી. અવસ્થા ભલે થયા કરે પણ તે અવસ્થા મારાથી અન્ય છે. એ અવસ્થાથી હું અન્ય છું તેમ નહીં. મારી અવસ્થાથી જીવ જુદો છે એમ નહીં. મારા જીવતત્ત્વથી અન્ય (ભિન્ન અવસ્થાઓ પ્રગટ થાય છે. પરંતુ તેનાથી એટલે મારાથી, મારાથી તે ભાવો અન્ય, અનેરા, જુદા ભિન્ન એવા જે બધાં સઘળાય પરિણામો જે ચાર પ્રકારના છે ઉદય, ઉપશમ, ક્ષયોપશમને ક્ષાયિક તેમાં ચૌદ ગુણસ્થાનો સમાય જાય છે. તેમાં જીવ સમાસ આવી જાય છે. અને ચૌદ માર્ગણાસ્થાન પણ એ ચાર પ્રકારના પરિણામમાં આવી જાય છે. એ મારાથી અન્ય અનેરા-જુદા પરિણામો છે.
અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી.” હું તો એક શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ છું, અને જે અવસ્થાઓ પ્રગટ થાય છે. તેમાં કોઈ અવસ્થા તો કર્મના સભાવની અપેક્ષા રાખે છે અને કેટલાક પરિણામો કર્મના અભાવની અપેક્ષા રાખે છે. એટલે કે કેટલીક અવસ્થાઓ જડના સંયોગથી થાય છે. પુદ્ગલના સંયોગથી થતી હોવાથી તે પુદ્ગલના પરિણામ કહેવાય છે, અને કેટલાક પરિણામ પુદ્ગલના વિયોગથી ઉત્પન્ન થાય છે. તેથી તે પણ પુદ્ગલના પરિણામ છે. અન્ય એવા તે પરિણામ ચૈતન્યમૂર્તિથી ભિન્ન પુદ્ગલના ભાવો છે. આત્મા ચૈતન્ય સ્વભાવી છે, અને આ ચાર પ્રકારના ભાવો પુદ્ગલ સ્વભાવી છે. પુદ્ગલના ભાવોની વિદ્યમાનતા તો છે. પુદ્ગલની વિધમાનતા છે. અને આ પુદ્ગલના પરિણામો થાય છે તે બધા જે ભાવો છે તે મારાથી અન્ય, અનેરા, જુદા, ભિન્ન છે. એ બધાં પરિણામો વ્યવહારનયનો વિષય છે. તે સઘળાય એટલે બધાં પુદ્ગલદ્રવ્યના ભાવો છે. આ બહુવચન કર્યું. પુદ્ગલ દ્રવ્યનો ભાવ નહીં પણ પુદ્ગલદ્રવ્યના ભાવો છે.
એક પુદ્ગલ દ્રવ્યના ભાવો એવા છે કે જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. અને વીસ પ્રકારની પર્યાય હોય. તે નોકર્મના પરિણામ છે. એક દ્રવ્યકર્મ છે એનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તો છે. તઉપરાંત અજ્ઞાનીના અજ્ઞાનનું નિમિત્ત પામીને એ પ્રકારના રસો એમાં ઉત્પન્ન થાય છે. તેથી તેને દ્રવ્યકર્મના પરિણામો-ભાવો કહેવામાં આવે છે. પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર આત્મા નથી.
શું કહ્યું? શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય-અનેરાં-જુદાં પરિણામો મારા જ્ઞાનમાં જણાય છે. એ મારા જ્ઞાનમાં મારો શુદ્ધાત્મા પણ જણાય છે. શુદ્ધ જીવાસ્તિકાય હું છું તેવું જ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ જીવાસ્તિકાય હું છું તેવું જ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ જીવાસ્તિકાય હું છું
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk