________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચન નં:- ૧૪ ગાથા-૫O શ્લોક – ૭૪
(શનિની ) न ह्यस्माकं शुद्धजीवास्तिकायादन्ये सर्वे पुद्गलद्रव्यभावाः। इत्थं व्यक्तं वक्ति यस्तत्त्ववेदी
सिद्धिं सोऽयं याति तामत्यपूर्वाम्।। ७४।। [શ્લોકાર્થ-] “શુદ્ધ જીવાસ્તિકાયથી અન્ય એવા જે બધા પુદ્ગલદ્રવ્યના ભાવો તે ખરેખર અમારા નથી'-આમ જે તત્વવેદી સ્પષ્ટપણે કહે છે તે અતિ અપૂર્વ સિદ્ધિને પામે છે. ૭૪. તા. ૨૬/૫/૭૯ પ્રવચન નં:- ૧૪ સ્થળ:- મુંબઈ ઝવેરી બજાર મંદિર
શ્લોક - ૭૪ : ઉપર પ્રવચન આ નિયમસાર શાસ્ત્ર છે. તેનો શુદ્ધભાવ અધિકાર છે અને તેની ૫૦ નંબરની ગાથા પછીનો શ્લોક છે. શ્લોક ૭૪ છે.
શુદ્ધ જીવાસ્તિકાયથી” એટલો શબ્દ છે. એક તો આ આત્મા છે તે નિત્ય શુદ્ધ છે. જીવ શબ્દ છે. એ જીવ શબ્દ એટલા માટે છે કે આત્મામાં જીવત્ત્વ શક્તિ છે. તેવા ચૈતન્યપ્રાણથી તે અનાદિ અનંત જીવી રહ્યો છે. તેથી આત્માને જીવ કહેવામાં આવે છે. જેમ આત્માને જ્ઞાનમય કહેવામાં આવે છે તેમ આત્માને જીવ કહેવામાં આવે છે.
જીવ કેમ કહ્યો ? ખરેખર આત્મા દશ પ્રકારના પ્રાણથી જીવતો નથી. પરંતુ એક આત્મામાં જીવન્ત નામની શક્તિ છે જે ૪૭ શક્તિમાં પહેલી જીવન્ત શક્તિ રહેલી છે. તો એ જીવન્ત શક્તિ એટલે અનાદિ અનંત જે ગુણ પારિણામિક ભાવે છે તેનાથી તે જીવી રહ્યો છે. તે નિત્ય શુદ્ધ છે. જીવત્વ શક્તિ હોવાથી તેનું નામ જીવ છે.
હવે અતિ એટલે શું? અતિ એટલે તેનું હોવાપણું છે અને કાય એટલે બહુ પ્રદેશી છે. શુદ્ધ-જીવ-અસ્તિ અને કાય આ ચાર શબ્દો એમાંથી શુદ્ધજીવાસ્તિકાયમાંથી નીકળે છે. શુદ્ધ એટલે નિત્ય શુદ્ધ, જીવ એટલે જીવન્ત નામની શક્તિથી અનાદિ અનંત જીવે છે, તેનું મરણ થતું નથી. જો ગુણનો નાશ થાય તો જ આત્માનો નાશ થાય. પરંતુ ગુણનો કદી પણ નાશ થતો નથી. માટે હું અવિનાશી છું. અતિ એટલે મારું હોવાપણું છે. અને કાય એટલે આત્મા બહુપ્રદેશી છે. એવા શુદ્ધ જીવાસ્તિકાયથી એટલે મારા શુદ્ધાત્માથી, મારા શુદ્ધ ભાવથી, મારા જ્ઞાયકભાવથી જુદા ભિન્ન ભાવો છે. આનાથી આ ભિન્ન છે. આનાથી એટલે મારાથી તે ભિન્ન છે.
હું કોણ ? હું શુદ્ધ જીવાસ્તિકાય તત્ત્વ અનાદિ અનંત એકરૂપ છું. એવો મારો શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk