________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ આહાહા ! તેમનામાં કાંઈ પણ ભેદ હો! આહા! લેશમાત્ર કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? કેમકે બીજી નય મારામાં પ્રગટ થતી નથી. તેનું કારણ શું? વસ્તુ એક જ પ્રકારની છે અને એ વસ્તુને હું એક પ્રકારે જ્યારે જોઉં છું, મીટ માંડીને મારા જ્ઞાનમાં જોઉં છું ત્યારે બીજી નય પ્રગટ થતી નથી. કેમ કે બીજીનયનો વિષય તેમાં નથી. અલૌકિક અને અદ્ભુત વાત છે.
આહાહા ! પ્રમાણના પક્ષવાળાને અનેકાન્તમાં અટકેલા આત્માઓનું અનેકાન્ત પણ અજ્ઞાન છે. અમે તો દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ માનીએ છીએ. સામાન્ય વિશેષાત્મક પદાર્થને માનીએ છીએ. ગુણપર્યાયવદ્રવ્યમ્-ઉત્પાદવ્યયધ્રુવયુક્ત સત્ તેને જીવ કહીએ છીએ. સાંભળ ! સાંભળ! તે બધી વ્યવહારની વાત છે. એ આગમના વચન છે. આતો દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનો સાર છે. શાસ્ત્રમાંથી પણ આ સાર છે. તેમ આચાર્ય ભગવાન અનુભવીને કહે છે.
આ સુબુદ્ધિ અને આ કુબુદ્ધિ એમ દેખાતું નથી. કેમકે આત્મામાં એમ છે નહીં. આત્માનું એવું રૂપ નથી તો તેને જાણનારું જ્ઞાન પણ મારામાં પ્રગટ થતું નથી. એકદમ અનુભવીનું આ વાક્ય છે હોં ! ટંકોત્કીર્ણ અને અફર વાત છે. આહા ! તારે ફરવું પડશે પણ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન અને અનુભવી સંતોનું જ્ઞાન ફરવાનું નથી.
એક દેખીયે જાનિયે રમી રહીએ ઈક ઠૌર” આહા ! ભગવાન આત્મા એક જ પ્રકારે છે. પરંતુ ભગવાન આત્મા આવો છે ને તેઓ છે, આમ છે, આવો થાય છે, આવો થાય છે, આવો થાય છે એ બધા વ્યવહારના જુઠ્ઠાલાલના કથન છે. એનું અવલંબન કરીશમાં આહાહા ! ગોબેલ્સ સોવાર વાત કરી તો દુનિયાને સારું લાગ્યું કે-રણમાં પાણી આવ્યું છે. એક વખત, બે વખત કહ્યું અને પછી બહાર પાડયું કે-કોઈ પણ જૂઠીવાતને, એકની એક વાતને સો વખત દોહરાવશો તો સામો માણસ તેને સાચું માનશે.
કોઈએ પ્રશ્ન કર્યો કે આવું જૂઠાણું તમે ક્યાંથી કર્યું ? તેણે કહ્યું, હું એક વખત, બે વખત કહું ત્યાં સુધી કોઈ માને નહીં, પરંતુ એકની એક વાત વારંવાર, વારંવાર ખોટી વાતને સો વખત કહું તો તેને એક વખત સાચી લાગશે. તેમ વ્યવહારનય અનાદિકાળથી જૂઠી વાત કરતી આવે છે અને વ્યવહારના પક્ષપાતી જીવોને એ વાત સાચી લાગે છે. તે જ તેનું અજ્ઞાન છે.
આહા ! વસ્તુ એક જ પ્રકારે છે. જો વસ્તુમાં બે પ્રકાર હોય તો બે નય હોય એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં વસ્તુ બે પ્રકારે દેખાય છે, તેથી બે નય છે. પણ જે ઉપાયભૂત તત્ત્વ છે તે તો એક જ પ્રકારનું છે. અહીંયા શું સિદ્ધ કરવું છે? શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે તેથી શુદ્ધનય પણ એક જ પ્રકારની છે. આહા ! એલા! બીજી નય ક્યાં ગઈ ? કેમકે બીજીનયનો વિષય આત્મામાં નથી, માટે બીજી નય ઉત્પન્ન થતી નથી. પછી ક્યાં ગઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk