________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ શુદ્ધાત્મા એક પ્રકારનો હોવાથી તેને જાણનારું જ્ઞાન પણ એટલે શુદ્ધનય પણ એક જ છે. અશુદ્ધનય મને પ્રગટ થતી નથી. કેમકે અશુદ્ધનય ક્યારે પ્રગટ થાય ? કે વિષયમાં જો સાથે અશુદ્ધનયનો વિષય હોય તો તો એવું જ્ઞાન પ્રગટ થાય. બહુ ઝીણી અને સૂક્ષ્મવાત છે. જરા સમજવા જેવી છે.
શું કહે છે? આ પ્રમાણના પક્ષપાતી જીવને નહીં સમજાય. વ્યવહારના પક્ષવાળા જીવને આચાર્ય ભગવાનના અંતરના ઊંડાણમાંથી, અનુભવમાંથી આવેલી વાત નહીં સમજાય. આવી વાત તો ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ વિરલ મળે, બાકી મળે તેવી નથી. આહા ! તેવી વાત છે.
આહાહા ! શુદ્ધનય એક જ છે એમ સમયસારની અગિયારમી ગાથામાં કહ્યું ગુરુદેવે બે-ત્રણ વખત કહ્યું કે-“શુદ્ધનય તો એક જ છે ને!” શુદ્ધનયનો બીજો પ્રકાર નથી. એક શુદ્ધનય અને બીજી અશુદ્ધનય, એક નિશ્ચયનય અને બીજી વ્યવહારનય એમ નથી. શુદ્ધનય એક જ છે.
શુદ્ધનય એક કેમ છે? તેનું કારણ આપે છે. સામો જે વિષય છે તેને જાણનાર જ્ઞાન છે તે શુદ્ધનય છે આ ત્રિકાળ નિષ્ક્રિયની વાત નથી પરંતુ જ્ઞાનના જે પરિણામ પ્રગટ થાય છે તે જ્ઞાનના પરિણામમાં શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે. તે જ્ઞાનના પરિણામમાં શુદ્ધાત્મા એક જ પ્રકારનો છે. શુદ્ધાત્મામાં બીજો પ્રકાર જ નથી. બીજો પ્રકાર નહીં હોવાથી બીજી નય પણ ઉત્પન્ન થતી નથી. કેમકે સામો જે વિષય છે તે એકરૂપ, શુદ્ધ, અનાદિ અનંત એક છે તેથી તેને જાણનારું જ્ઞાન શુદ્ધનય તે એક જ પ્રકારનું છે.
આહા! વિષયોમાં બે પ્રકાર હોય તો વિષયોને પ્રસિદ્ધ કરનારના બે પ્રકાર હોય. વિષય સામો એક જ છે તે વસ્તુથી સિદ્ધ કરે છે. એ. વસ્તુની સિદ્ધિ કરે છે કે-વસ્તુ એક જ પ્રકારની છે. શુદ્ધતા અનાદિ અનંત છે તે કથંચિત્ શુદ્ધ નથી.
પદ્મપ્રભ મુનિરાજ કહે છે કે એમાં બીજો પ્રકાર મને દેખાતો નથી. તો આ આત્મા આ પ્રકારે પણ છે અને આ પ્રકારે પણ છે એવું શ્રુતજ્ઞાન મને પ્રગટ થતું નથી. મને વ્યવહારનય ઉત્પન્ન થતી નથી. કેમ? કે સામે વ્યવહારનયનો વિષય નહીં હોવાથી વ્યવહારનય પ્રગટ થતી નથી. સામો વિષય શુદ્ધ છે તેથી શુદ્ધનય એક જ પ્રગટ થાય છે. તેથી શુદ્ધનયથી બધા આત્માઓને હું શુદ્ધ જાણું છું. મારો આત્મા અશુદ્ધ છે તેમ હું જાણતો નથી. કેમકે આત્મામાં અશુદ્ધતા હોઈ શકે જ નહીં અશુદ્ધતા તો સંયોગમાં, બીજામાં છે, તેનામાં છે પરંતુ મારામાં નથી.
શુદ્ધાત્મા વસ્તુથી એક છે. આત્મ વસ્તુ.. વસ્તુ છે. અનાદિ અનંત બધા આત્માઓ શુદ્ધ છે. બધા આત્માઓ અનાદિ અનંત એક પ્રકારના છે, બીજા પ્રકારના આત્મા નથી. આ આત્મા પહેલા ગુણસ્થાનવાળો, આ આત્મા ચોથા ગુણસ્થાનવાળો, પાંચમા અને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk