________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૪૦
પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦
જાય છે.
‘ તે બધાય ’ તે બધાય મને ૫૨દ્રવ્ય છે. ગુરુદેવને નહીં, અરિહંતને નહીં, આચાર્ય ભગવાનને નહીં, તને નહીં પરંતુ મને. મને આ પરદ્રવ્ય છે. શું પરદ્રવ્ય છે ? આ પરદ્રવ્ય કોનું વિશેષણ છે ? પર્યાયોનું વિશેષણ ૫૨દ્રવ્ય છે. અહીંયા ચાર પ્રકારના જે ભાવો કહ્યાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવ.. જે નવાં વિધ-વિધ પ્રકારના લક્ષણભેદે ભેદ હોવાથી પ્રગટ થાય છે તેનો લક્ષણભેદે ભેદ હોવાથી.. આહાહા... ! પ્રદેશભેદે ભેદ છે. તેથી તે પરદ્રવ્ય છે હોં !
આહા ! ગુરુદેવને એના પ્રગટ થયેલા ભાવો પરદ્રવ્ય છે. એમની વાત તો હવે શું કરવાની! ગુરુની સામે અમારે ક્યાં જોવું છે? આહા ! ગુરુદેવની સામે જોવાનો હવે અવસર નથી. અનંતકાળથી તીર્થંકરની સામે જોયું હવે તો આ નિજ પરમાત્મ દ્રવ્ય સામે જોવાનો કાળ આવ્યો છે. તેનાં ઉ૫૨ દૃષ્ટિ દેતાં એક જ્ઞાન એવું પ્રગટ થાય છે તે એમ જાણે છે કે–આ બધા ભાવો જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે.
આહા ! જે શુદ્ધાત્માને પ્રસિદ્ધ કરે તે ભાવ મને ૫દ્રવ્ય છે. શું કહ્યું ? જે ભાવ મને પ્રગટ કરે. આહાહા ! જે પરિણામ અતીન્દ્રિયજ્ઞાનરૂપ પ્રગટ થાય છે. તે પ્રગટ થઈને મને પ્રગટ કરે છે તે પ્રગટ થઈને મને પ્રસિદ્ધ કરે છે... તેથી એ પરિણામ મને પરદ્રવ્ય છે. આ અનુભૂતિ તે પરદ્રવ્ય છે. અનુભૂતિનો વિષય છે તે સ્વદ્રવ્ય છે. આ શ્લોક સારો ચાલ્યો હવે ૭૧ કળશ લઈને પછી પાંચ રત્નોની ગાથા લેવી છે.
તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા એ શબ્દો લખ્યા છે. આપણા પંડિતરત્ન હિંમતભાઈએ આહા ! તેમણે ગુજરાતી કર્યું છે હો ! ગુજરાતી જીવોને માટે એ પંડિતજી આપણા ઉપકારી છે. હિંદીમાં જેવું ભાવભાસન થાય તેના કરતાં માતૃભાષામાં ભાવભાસન વધારે થાય છે. એ અપેક્ષાએ વિચારવામાં આવે તો પણ ગુજરાતી સમાજ ઉપ૨ તેઓશ્રીનો ઉ૫કા૨ છે. સજ્જનો ઉપકારને ઓળવતા નથી. આહા ! જે જે પ્રકારની ઉપકારની મર્યાદા હોય તેતે પ્રકારે, તેનાથી આગળ પણ તેની મર્યાદા હોઈ શકતી નથી. જે પ્રકારનો ઉ૫કા૨ હોય તે-તે પ્રકારે સજ્જનો તેના ઉપકારને ઓળવતા નથી.
66
કળશ ૭૧મો છે. “ જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે.” પ્રથમથી જ એટલે અનાદિથી જ આહાહા !‘ જ ’ શુદ્ધતા છે. જે જીવો છે તે બધાના પરિણામથી બે પ્રકાર પાડવામાં આવે છે. વ્યવહારનય જેના બે પ્રકાર પાડે છે કે –આ સમકિતી અને આ મિથ્યાર્દષ્ટિ, આ બહિર્આત્મા અને આ અંતરઆત્મા એ બધાં પરિણામોના વિશેષણો છે. તેમાં આત્માના વિશેષણો નથી.
એ સુબુદ્ધિ હો ! કે કુબુદ્ધિ હો ! કુબુદ્ધિના સંયોગમાં રહેલો ભગવાન આત્મા અને સુબુદ્ધિના પરિણામના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા બન્ને સમાન જ છે. આહાહા ! સંયોગ
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk