________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૩૯ સમય એનો હોય તેની પહેલાં પણ પ્રગટ ન થાય અને પછીના સમયે પણ પ્રગટ ન થાય. એના સ્વકાળે જ એ પરિણામ પ્રગટ થાય છે તેમ જણાય છે. પરંતુ એ પરિણામને હું કરું છું માટે પ્રગટ થાય છે એમ મારા સ્વભાવને વિશે ત્રિકાળ નથી, એવા અકર્તા આત્માની ભાવના ભાવું છું.
હું જ્ઞાયક છું માટે અકર્તા છું. શું કહ્યું? હું જ્ઞાયક છું માટે અકર્તા છું. આહા ! જે જાણે છે તે કરતો નથી. અને જે કરે છે તે જાણતો નથી. પ્રગટ થાય છે તેમ લખ્યું છે. પરંતુ પરિણામને પ્રગટ કરું છું તેમ લખ્યું છે? એવું કર્તાપણું આત્માના સ્વભાવ વિષે નથી. પ્રગટ થાય છે એમ મારા જ્ઞાનમાં તો જણાય છે. છે, તેનો નિષેધ હોય? તેનો નિષેધ ન હોય. પરંતુ પરિણામ તે હું નથી.
કારણ કે તે બધાય-એ સઘળાય, ભિન્ન લક્ષણવાળા વિધ-વિધ પ્રકારના એટલે અનેક પ્રકારના ભાવો “તે બધાય મને પરદ્રવ્ય છે.” અનેક પ્રકારના ભાવો છે માટે સઘળાય કહ્યું, તે બધાય મને પરદ્રવ્ય છે. આ નિમિત્ત પરદ્રવ્ય છે તેની વાત નથી. પરંતુ જે અનાદિ મિથ્યાષ્ટિને પર્યાયષ્ટિ થઈ છે એટલે પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ છે તેને
જ્યાં હવે હું શુદ્ધાત્માને એવું છું, ભાવું છું... એમ દ્રવ્યપર દૃષ્ટિ જતા આ પરિણામો પ્રગટ થાય છે તે હું નથી કેમકે તે મારા લક્ષણથી મળતા નથી હું પ્રગટ છું અને તે પ્રગટ થાય છે તેથી બધાં મને પરદ્રવ્ય છે. સમ્યગ્દર્શન પરદ્રવ્ય છે. આ ચારિત્રવંત સાધક કહે છે. જે ત્રણ કષાયના અભાવપૂર્વકનો આનંદ પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે.
આહા.. હા ! જે પ્રગટ થાય છે તેનું લક્ષણ અનિત્ય છે અને મારું લક્ષણ નિત્ય છે. નિત્ય અને અનિત્યના લક્ષણભેદે ભેદ હોવાથી તે પરિણામ મારા નથી. આ પ્રગટ થયેલો આનંદ તે પરદ્રવ્ય છે. પાંચ મહાવ્રતના પરિણામ તો પરદ્રવ્ય છે પરંતુ ચાર પ્રકારના ભાવોમાં ઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક સમ્યગ્દર્શન પણ મને પરદ્રવ્ય છે.
એ. પર દ્રવ્ય છે તેમ ક્યાંથી કાઢયું? આહા ! આ ભીંત પરદ્રવ્ય છે એમ સ્થાપવામાં પણ અમારું જ્ઞાન હવે રોકાતું નથી. દેવ-શાસ્ત્ર-ગુરુ પરદ્રવ્ય છે તેમ બહુ લાંબે સુધી અમારું જ્ઞાન લંબાતુ નથી. અમારું જ્ઞાન નિષેધમાં આવી જાય છે. આ પરિણામ જે પ્રગટ થાય છે તે હું નથી. પરંતુ જે પ્રગટ છે તે હું છું. પ્રગટ છે તે હું છું અને પ્રગટ થાય છે તે હું નથી. પ્રમાણના વિષયમાં વિધિ અને નિષેધથી આત્માનો અનુભવ કરી લ્ય છે. એક એક ગાથા, અને એક એક શ્લોક, ભવના અંત આવી જાય તેવી વાત છે. આહા ! ભવનો અંત તો આવે છે.. પણ, જેમાં ભવ જ નથી એવો હું છું. આવા શુદ્ધાત્માની ભાવના ભાવતાં-ભાવતાં પર્યાયમાં ભવનો અંત આવી જાય છે. મારામાં તો ભવ જ નથી માટે અંત આવી જાય એવું પણ તેમાં લાગુ પડતું નથી. આહા ! જેમાં એ ભવ થાય છે એમાં પણ ભવનો અભાવ થઈ જાય છે. શુદ્ધાત્માની ભાવના ભાવતા ભવનો અભાવ થઈ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk