SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૩૮ પ્રવચન નં:- ૧૩ ગાથા-૫૦ જેને સંયોગ મારા છે તેમ ભાસે છે તે તો તીવ્ર મોહી જીવ છે. એ તો તીવ્ર મોહી છે. હજુ શ્રદ્ધામાં ૫૨ દ્રવ્યમાંથી બુદ્ધિ ખસતી નથી. આ શ્રદ્ધા અપેક્ષાએ વાત ચાલે છે. હજી તને શ્રદ્ધામાંથી પરદ્રવ્યનો ત્યાગ થયો નથી તો શ્રદ્ધામાં પરિણામનો ત્યાગ એ તને નહીં બેસે. ૫રદ્રવ્યની સ્વામિત્ત્વ બુદ્ધિ હજુ ઘોળાય છે, અને તું કહે છે કે પરિણામ મારા નથી, હું એનો સ્વામી નથી, એ વાત સુસંગત નથી. આ વિવિધ પ્રકારના ભાવો જે પ્રગટ છે તે હું નથી. તે હું નથી.. કારણ કે-આહા ! કારણ આપીને તો કહે છે. લોજીકથી અને ન્યાયથી તો સિદ્ધ કરે છે. કારણ તો આપતા આવે છે કે –કેમ એવું નથી ? પર્યાય પ્રગટ થાય છે હોં ! જો પર્યાય જ પ્રગટ થતી નથી તો તે મૂંઢ–અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ આત્મા છે. સંયોગ આવે છે ને જાય છે, સંયોગ જ નથી એમ નથી. પર્યાય પ્રગટ થાય છે. પરંતુ તેનું લક્ષણ મારા લક્ષણથી ભિન્ન છે. જેથી‘ તે હું’ નથી. ‘ તે હું ’ નથી... એટલે ‘ તે ’નું જ્ઞાન તો થયું પરંતુ તે જ્ઞાન મારાપણે ન થયું. ‘ તે ’ નું જ્ઞાન ‘તે ’ ના જ્ઞાનપણે થયું. ‘ તે ’ તેનામાં છે અને હું મારામાં છું. ‘ તે હું’ નથી. હવે ‘ તે હું નથી.’ અનુભૂતિ પણ આત્મા અને સમ્યગ્દર્શન પણ આત્મા છે. એમ તો આવે છે. આ તમે શું કહ્યું ? ધર્મના પરિણામ જે પ્રગટ થાય છે તે પ્રગટ થાય છે માટે મારા નથી. હું તેનો સ્વામી નથી, હું તેનો કર્તા નથી, પરિણામ પરિણામથી થાય છે. પરિણામ મારાથી થતા નથી, કેમકે હું તો અકર્તા છું. પરિણામ તેના ષટ્કારથી પ્રગટ થાય છે. એનો સ્વભાવ વ્યય થવાનો છે માટે વ્યય થાય છે. હું તેને વ્યય પણ કરતો નથી. ઉત્પાદક નથી એટલે હું તેના વ્યયનો કરનારો પણ નથી. આહા ! એક સમયનું સત્ તેના સ્વઅવસરે, તેની જન્મક્ષણે પ્રગટ થાય છે. તેને નિમિત્તે પ્રગટ કરી શક્યું નથી અને હું પણ એનો પ્રગટ કરનારો નથી. પ્રગટ થાય છે, પ્રગટ કરું છું તેમ નથી લખ્યું. ન આમાં શું લખ્યું છે ? આ જે વિવિધ પ્રકારના પરિણામો પ્રગટ થાય છે એમ લખ્યું છે. હું એને કરું છું માટે તે હું નથી એમ ન હોય. એ પરિણામને હું કરું છું એમ જો તારા અભિપ્રાયમાં હોય તો તે પરિણામમાં તને આત્મબુદ્ધિ થઈ ગઈ, તેથી તે પરિણામનો કર્તાપણાનો નિષેધ તારા અભિપ્રાયમાં જ્ઞાનમાં આવી શકે નહી. તો તું તેનો સ્વામી થઈ ગયો. હું એને પ્રગટ કરતો નથી પરંતુ પ્રગટ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે. હું પ્રગટ કરું છું તેમ મારા શ્રદ્ધાનમાં તો નથી પરંતુ મારા જ્ઞાનમાં એમ જણાતું નથી. આહા ! એક શ્લોક તો બેડો પાર કરી છે એમ છે. આ એવી ચીજ છે. આહા ! પ્રગટ થાય છે તેમ લખ્યું છે કે-પ્રગટ કરું છું તેમ લખ્યું છે આહાહા ! જે સ્વયં એના સ્વ અવસરે એનો જન્મક્ષણ પર્યાયનો હોય ત્યારે પ્રગટ થાય, થાયને થાય જ. એના કાળક્રમમાં પ્રગટ થવાનો એનો સમય પણ ફરતો નથી. આહા ! એ પર્યાયનો Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy