________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
પ્રવચન નં- ૧૩ ગાથા-૫૦ પર્યાયને ભાવતો નથી.
“હુંતો “હુંતો” એમ છે ને! “હુંતો “આ તો ' તેમ નહીં એ તો નહીં. અને “આ તો' નહીં. પરંતુ હુંતો ” પાઠમાં છે ને? આહા! ગુરુદેવ આવા શુદ્ધ ચૈતન્ય આત્માની ભાવના ભાવે છે. આહા ! એ. તો પરજ્ઞય છે. આહા ! એની સામે જોવા જેવું નથી.
હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જયોતિ જ છું “તે ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે. પરમ જયોતિ જ સદાય છું ' પેલી કેવળજ્ઞાનની જયોતિ તો સદાય પ્રગટ થાય છે, પરંતુ હું તો પ્રગટ છું. જે પ્રગટ થાય છે તે ભાવો મારા નથી, જે પ્રગટ છે તે હું છું. એમ આમાં નીચે આવશે.
આહા ! શું આ ભાવના! શેની ભાવના ભાવે છે ! નિમિત્તની ભાવના તો ક્યાંય રહી ગઈ. આ શાસ્ત્ર સાંભળનાર ત્યાં સુધી આવી ગયો છે. એમ લખનારને વિશ્વાસ આવી ગયો છે. શું કહ્યું? ઉપદેશ આપનારને એટલો તો વિશ્વાસ આવી ગયો છે કે દ્રવ્યાનુ યોગમાં સમયસારને તેમજ નિયમસારને સાંભળનાર શ્રોતાઓ છે. નિમિત્તની ભાવના જેણે છોડી દીધી છે. તેને અમે શ્રોતા કહીએ છીએ અને જે નિમિત્તની ભાવનામાં પડયો છે તે વાસ્તવિક શ્રોતા નથી/તે મોક્ષાર્થી નથી. આ મોક્ષાર્થી માટેની વાત ચાલે છે.
આહા! જેને નિમિત્તની ભાવના અને જે પુણ્યની અને પુણ્યના ફળની ભાવના ભાવે છે તે મોક્ષાર્થી નથી. કહે છે કે જો પર્યાયની ભાવના પણ તું ભાવતો હોય તો પણ અમે તને મોક્ષાર્થી કહેતા નથી. આ પર્યાયના ભેદોના જ્ઞાનમાં તું અટક્યો હો તો અમે તને મોક્ષાર્થી કહેતા નથી. તારા વિકલ્પાત્મક જ્ઞાનમાં એટલે સવિકલ્પ સ્વસંવેદનમાં, અનુમાનજ્ઞાનમાં પણ જો શુદ્ધાત્માની ભાવના છે તે વિકલ્પાત્મક ભાવનાનો અભાવ થઈને નિર્વિકલ્પ ભાવના આવી જશે. મોક્ષાર્થી જીવો ! ઉંઘમાં પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે.
હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જયોતિ જ છું આમાં કથંચિત્ નહી પરંતુ સમ્યક એકાંત કર્યુ છે. ” પરમ જયોતિ જ છું” “આ દ્રવ્યનું વિશેષણ છે. “આ છે તે કેવળજ્ઞાનનું વિશેષણ નથી “પરમ જયોતિ જ સદાય છું આ સિદ્ધાંતનું સેવન કરો. તમે આવા શુદ્ધાત્માને ભાવો તો કેવળજ્ઞાન તો સહજ પ્રગટ થશે. સમ્યગ્દર્શન તો નાની ચીજ છે, તે તો સામાન્ય છે, તે તો અલ્પ પુરુષાર્થથી પ્રગટ થાય છે. આહા ! એક સમયમાત્રમાં પ્રગટ થાય છે. તે અલ્પ પુરુષાર્થ કહ્યો અને કેવળજ્ઞાનમાં અંતર્મુહૂર્તનો પુરુષાર્થ જોઈએ. એ પુરુષાર્થમાં લાંબો કાળ જાય ત્યારે કેવળજ્ઞાન થાય અને સમ્યગ્દર્શનમાં? કેટલો કાળ..!
જે નિમિત્તની ભાવના ભાવે છે તે આ વાત સાંભળવા આવ્યો છે તેમ અમે જાણતાં નથી. પછી ઈ. ભલે નિમિત્તની ભાવના ભાવતો હોય તો એ શ્રોતા નથી. તે શ્રોતાપદમાંથી ગયો. તારી સાંભળવાની લાયકાત નથી જા! તારે નિમિત્ત જોઈએ છે ને તારે આત્મા
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk