________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ એટલે પ્રમાણાભાસ છે.
૨૩૩
ગુરુ પાસેથી સાંભળીને જેને મારો શુદ્ધાત્મા આવો જ છે, એવું જેને અનુમાનજ્ઞાનમાં માનસિકજ્ઞાનમાં નિર્ણય થઈ ગયો છે, તેને સવિકલ્પમાં આવી એક પરિણતી ઉભી થઈ છે તે કહે છે. અમે પણ નૈગમનયે તેને મોક્ષાર્થી કહીએ છીએ. એના ભાવમાં, તેના ચિત્તમાં આ ઘૂંટાય છે હું તો શુદ્ધ, ત્રિકાળ શુદ્ધ, નિત્ય શુદ્ધ છું. ચૈતન્યવાળો નહીં પરંતુ ચૈતન્યમય છું.
આહા ! આ શાસ્ત્ર વાંચવાનું શાસ્ત્ર નથી. માત્ર વાંચી જવા માટે નથી. જેમ અરીસાની સામે જોતાં પોતાનું જેવું મુખ હોય તેવું દેખાય કે નહીં ? કે અન્યથા દેખાય ? તેમ આ શાસ્ત્રો અરીસા સમાન છે. જ્યાં એની નજ૨ દ્રવ્યશ્રુત ઉ૫૨ જાય છે અને એ દ્રવ્યશ્રુતનું વાચ્ય એના જ્ઞાનમાં શેય થાય છે, પહેલાં એટલો ભેદ રહે છે, પછી જ્ઞાનને જ્ઞેયનો ભેદ છૂટીને અનુભવ થાય છે.
ન
‘હું તો’ અમે જે ભાવના ભાવીએ છીએ એમ તમે પણ તમારા શુદ્ધાત્માની ભાવના ભાવો. જેની ભાવના અમે ભાવીએ છીએ તે અમારી પાસે પ્રગટ છે. અને અમારા જેવો જ આત્મા તમારી પાસે વિધમાન, પ્રગટ, પ્રત્યક્ષ રહેલો છે. ‘ હુંતો ’ વસ્તુ હોય તેની ભાવના હોય, જે ન હોય તેની ભાવના ન હોય. મિથ્યાર્દષ્ટિ પાસે સમ્યગ્દર્શન ભલે નથી અને એને એનો ભાવ પણ આવી જાય પરંતુ સમ્યગ્દર્શનની ભાવના ન હોય. અને સમ્યગ્દષ્ટિને યથાખ્યાતચારિત્રની ભાવના નથી, તેમને કેવળજ્ઞાનની ભાવના નથી, મોક્ષની ભાવના નથી. એ મોક્ષાર્થીને તો એક શુદ્ધાત્માની જ ભાવના હોય છે. આહા ! હું તો શુદ્ધ ચૈતન્યમય અને એક, આહા ! એક અને શુદ્ધ. આ એક અને શુદ્ધ બહુ શબ્દો આવે છે. સમયસારમાં ઠેક-ઠેકાણે, ઠામ-ઠામ આવે છે. આ એક અને શુદ્ઘ તે શુદ્ધાત્માના વિશેષણો છે.
'
“હુંતો શુદ્ધ ચૈતન્યમય એક ૫૨મ જયોતિ જ સદાય છું. ” આહા ! કેવળજ્ઞાનની જયોતિ પ્રગટ થાય છે પરંતુ તે ૫૨મજયોતિ નથી, એ પૂજનિક નથી. વ્યવહારે અરિહંત પૂજનિક છે.. નિશ્ચયેતો એક ચૈતન્યમય એક શુદ્ધઆત્મા જ પૂજનિક રહેલો છે. જે ૫૨મ જયોતિ છે.
આહા ! એ દીવો કંપે નહીં પરંતુ કોડિયાનો દીવો તો કંપી જાય પરંતુ જે રતનનો પ્રકાશ છે તેને કંપન આવે નહીં. વાવાઝોડામાં રતન પડયું હોય તો બીજા દીવા ઠરી જાય અને બલ્બ હોય તો પણ ભાંગી જાય (તૂટી જાય ) પણ રતન છે તે ભાંગે નહીં. અને વાવાઝોડાની સાથે ધોધમાર પાણીનો વરસાદ પડતો હોય તો પણ બુઝાય નહીં. રતનનો દીપ બૂઝાય નહીં અને હુલે નહીં. રતનદીપમાં કંપન નથી. કેવળજ્ઞાનમાં તો કંપન છે. તેથી તે આવે છે ને જાય છે. કેવળજ્ઞાન સંયોગ છે, તે મહેમાન છે, હું કેવળજ્ઞાનની
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk