________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૮
પ્રવચન નં:- ૧૨ ગાથા-૫૦ શું રહેલું છે ? અનંત સામર્થ્યથી ભરેલો તેવો જ્ઞાનગુણ એવા અનંતગુણ જ્ઞાન, આનંદ, આદિ અનંત-અનંત બેહદ સામર્થ્યથી બધા ગુણો રહેલા છે. આહાહા ! એ સામર્થ્ય એવું છે કે-સાદી અનંતકાળ પર્યાયો એમાંથી પ્રગટે તો પણ તે અખૂટ ખજાનો એવો ને એવો રહે છે. એવા એક એક ગુણ એવા અનંતગુણ જેમાં રહેલા છે. આહાહા..! ગુણોને
સ્વદ્રવ્યનો આધાર છે. પર્યાયને સ્વદ્રવ્યનો આધાર નથી. કેમકે એ પર્યાય તો પરદ્રવ્ય છે, તેને સ્વદ્રવ્યનો આધાર હોતો નથી.
પર્યાય તો પર્યાયના આધારે પર્યાય છે. પરંતુ એ ગુણોને કોનો આધાર છે? કેસ્વદ્રવ્યના આધારે ગુણો રહેલા છે. એ ગુણો પણ પારિણામિકભાવે છે. એક-એક ગુણ પારિણામિકભાવે છે, નિત્ય છે. તે નિત્ય નિરાવરણ છે. એક એક ગુણ નિત્ય શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. એક એક ગુણ પરિપૂર્ણ છે. એવા જે ગુણો છે તે શુદ્ધ અંત:તત્ત્વ સ્વરૂપ છે. આ સ્વદ્રવ્યનો જે આધાર એટલે કે ગુણો જેના આધારે રહેલા છે એવું જે દ્રવ્ય. જુઓ, હવે ગુણભેદ પણ છૂટી જાય છે. ગુણો દ્વારા સ્વદ્રવ્યને સમજાવ્યું પછી એવા અનંતગુણનું એકરૂપ એવું જે સ્વદ્રવ્ય તે સ્વદ્રવ્યનો આધાર કોણ છે ? ક્ષયોપશમ ભાવ છે ? ના. તો અતીન્દ્રિયજ્ઞાનનો ઉઘાડ છે? નહીં. ક્ષાયિકભાવ છે? ના.
જેમ ચાર પર્યાયોનો આધારભૂત પર્યાય છે, ઉદયાદિ ચાર ભાવ છે તેમ સ્વદ્રવ્યનો આધારભૂત ભાવ પરમ પરિણામિકભાવ છે. તેમ સ્વદ્રવ્યને કયા ભાવનો આધાર છે? સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પરિણામિકભાવ જેનું લક્ષણ છે તે છે. આહા ! અભૂતથી પણ અભૂત ચમત્કારિક વાત છે.
ગુરુદેવે ઘણીવાર કહ્યું છે કે અરે ! આવી અધ્યાત્મની વાત જેના કાન ઉપર આવે છે એ પણ મહાભાગ્યશાળી છે. એમ અનેકવાર કહે છે કે નહીં ? કેમકે આ વાત સાંભળવા પણ મળતી નથી. અને સાંભળવાનો ભાવ આવે તો વાડામાં પૂરાયેલા જીવો, એ વાડાને ઠેકીને બહાર કૂદી પડે તેવું વીર્ય નહીં હોવાથી તેને આ વાત સાંભળવા મળતી નથી. તે સાંભળવાની જિજ્ઞાસા જાહેર કરે છે, પરંતુ તેને સાંભળવાનો યોગ પણ થતો નથી.
પ્રશ્ન:- સામાન્ય દ્રવ્યને પારિણામિક ભાવનો આધાર છે તેમાં શું સમજાવવું છે?
ઉત્તર:- અહીં એમ સમજાવવું છે કે-સામાન્ય દ્રવ્ય છે તે કોઈ ભાવના આધારે હોય. તેમાં કોઈને કોઈ અસાધારણ ભાવ હોય. જેમ ચાર પ્રકારના પરિણામ છે તેમાં એક કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. તે પર્યાય ક્ષાયિકભાવથી તન્મય છે. તેથી ક્ષાયિકભાવને આધારે કેવળજ્ઞાન છે. ક્ષાયિકભાવ એ પણ અપેક્ષિતભાવ છે. એના આધારે એટલે ભાવના આધારે ભાવવાન છે. ક્ષાયિકભાવ તેને આધારે કેવળજ્ઞાન છે. એ ક્ષાયિક ભાવનો કોઈ કાળે અભાવ થતો નથી તેથી તેના આધારે કેવળજ્ઞાન છે. અને તેનો પણ અભાવ થતો નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk