________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૨૫
પ્રમાણનો પક્ષપાતી મિથ્યાર્દષ્ટિ હોય છે. કોઈ પ્રમાણનો પક્ષપાતી એમ કહે છે કેઉત્પાદવ્યયધ્રુવયુક્તસત્ કહ્યું ને ! હવે એ વાકયને કોઈ બદલાવી નાખે કે ઉત્પાદ-વ્યયથી રહિત હોવા છતાં જે આત્મા ઉત્પાદ-વ્યયથી સહિત આત્મા છે એજ ધ્યાનનું ધ્યેય છે. એમ માનનારો અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ છે. આહા ! તેના માટે ગુરુદેવને ચાર મહિના મહેનત કરવી પડી. દરરોજ ધારાવાહી વ્યાખ્યાનમાં સમજી ગયા ? આવી ગરબડ થઈ ગઈ હતી. આહા ! મોટો ફેર થઈ ગયો. તેને પ્રમાણનો પક્ષ છે, પ્રમાણનું જ્ઞાન નથી. પ્રમાણ કહો કે વ્યવહાર કહો, કે પ્રમાણાભાસ કહો પરંતુ તેને પ્રમાણનું જ્ઞાન નથી. એને પ્રમાણજ્ઞાન હોઈ શકે નહીં. તે અનેકાન્તનું અજ્ઞાન છે. તેને અનેકાન્તનું જ્ઞાન થતું નથી. આહા ! સમ્યક્ એકાંત એવા આત્માના જ્ઞાન સિવાય અનેકાન્તિક જ્ઞાન પ્રગટ પણ થતું નથી.
આહા ! ખરેખર તો ઉત્પાદ-વ્યયથી ભગવાન આત્મા રહિત છે તેટલો જ આત્મા છે. ઉત્પાદ-વ્યય છે તે પદ્રવ્ય છે અને ધ્રુવ છે તે સ્વદ્રવ્ય છે. હવે જે ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયને જો સ્વદ્રવ્યમાં જોડી દે છે તો ઉપાદેયરૂપ સ્વદ્રવ્ય રહેતું નથી. પરંતુ તેની દૃષ્ટિ ૫રદ્રવ્ય ઉ૫૨ જાય છે. ઉત્પાદ-વ્યયથી સહિત જે દ્રવ્ય છે તે પરદ્રવ્ય છે. ઉત્પાદ-વ્યયતો ૫રદ્રવ્ય છે પણ ઉત્પાદ-વ્યયથી સહિત જે દ્રવ્યને માને છે તેની બુદ્ધિ ૫૨ દ્રવ્યમાં ગઈ છે. કેમકે તે પ્રમાણજ્ઞાનનો વિષય છે તેથી તે ધ્યાનનું ધ્યેય નથી.
સર્વ વિભાવગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ જે છે તે સ્વદ્રવ્ય છે. અને જે ભેદો હતા તે બહિર્તત્ત્વ છે. સાતતત્ત્વના ભેદોને બહિર્તત્ત્વ કહ્યાં કે નહીં ? ક્ષાયિકભાવ બહિર્તત્ત્વ છે. સમ્યગ્દર્શન બહિર્તત્ત્વ છે. ધર્મના પરિણામ બહિર્તત્ત્વ છે. અનંતગુણનો નાથ પ્રભુવિભુ ધર્મી એવો ભગવાન આત્મા તે અંતઃતત્ત્વ છે. અનંતગુણનો નાથ પ્રભુ-વિભુ ભગવાન આત્મા તે અંતઃતત્ત્વ છે. એ શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. પછી અંત:તત્ત્વની વ્યાખ્યા કરશે હોં ! એ અંતઃતત્ત્વને મહાન કહી દીધું.
એ અંતઃતત્ત્વ એટલે શું ? એકલું અંતઃતત્ત્વ સ્વદ્રવ્ય છે, અને આ સાત તત્ત્વોના ભેદો બધા છે તે બહિર્તત્ત્વ છે. તે બહિર્તત્ત્વ હોવાને કારણે પરસ્વભાવો છે. પરસ્વભાવો હોવાને કા૨ણે ૫૨દ્રવ્ય છે–એટલે કે મારો સ્વભાવ નથી, તેથી તેના ઉ૫૨થી દૃષ્ટિને છોડું છું. પરંતુ હવે જ્યારે શુકલધ્યાનનો કાળ પાયો છે ત્યારે ભેદ તરફના જ્ઞાનને છોડી ધે છે. પૂજ્ય ગુરુદેવના શબ્દો છે હોં ! તે મારા શબ્દો નથી શ્રુતજ્ઞાનમાં જો કેવળજ્ઞાનના દર્શન થતા હોય તો શુકલધ્યાનની કળા પણ શ્રુતજ્ઞાનમાં વર્તમાનમાં જણાય જાય છે. શુદ્ધાત્માની સન્મુખ થયેલું અતીન્દ્રિય શ્રુતજ્ઞાન શુક્લ ધ્યાનના સ્વરૂપને જાણી લ્યે છે. આવા પરિણામને ભગવાન શુકલધ્યાન કહે છે. શુકલલેશ્યા નહીં, શુકલલેશ્યા શુભભાવ છે. શુકલધ્યાન તે શુદ્ધ પરિણામો છે પરંતુ તે પ૨સ્વભાવો છે. પરદ્રવ્ય છે એટલે તેને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk