SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૨૩ આહા... હા ! તેઓ એટલે આ ભેદો. અહીંયા છ દ્રવ્યની વાત ન લેવી. જ્યાં પરદ્રવ્ય લખ્યું હોય, પરદ્રવ્યની વાત આવે ત્યાં દેવ-ગુરુ-શાસ્ત્ર દુકાન અને કુટુંબ પરિવાર એ ૫૨દ્રવ્ય છે. અરે ! ના, ભાઈ ! ના. આટલે લાંબે હવે અમારો ઉપયોગ જતો નથી. અમારા ઉપયોગમાં જે સ્વભાવ છે ત્રિકાળી એટલું જ સ્વદ્રવ્ય છે. અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના ભેદો પ્રગટ થાય છે. જે પ્રગટ થાય છે તેઓ ૫૨ સ્વભાવો હોવાને કારણે, ૫૨દ્રવ્ય હોવાને કા૨ણે હવે હું એમાંથી પણ ઉપયોગને હઠાવી અને સ્વદ્રવ્યમાં લગાવું છું. આહા ! તેઓ પ૨સ્વભાવો છે. અને તેથી જ કારણ આપીને પરદ્રવ્ય કહે છે. ઉપર કારણ આપ્યું ને ? આ ભેદ છે તે ૫૨દ્રવ્ય કેમ છે? તેઓ ૫૨ સ્વભાવો છે માટે. તેઓ પરસ્વભાવો કેમ છે ? મારો સ્વભાવ પરમપારિણામિક ભાવ છે. તેની સાથે આ ભેદનાં લક્ષણને મેળવું છું તો ચાર પ્રકારના પર્યાયના ભેદો છે. અથવા સાત તત્ત્વોના ભેદો છે. એ બધા વ્યવહારનયના વિષય છે. અને એનું જેવું લક્ષણ છે તેવું મારું લક્ષણ દેખાતું નથી. તે ૫૨દ્રવ્ય હોવાથી મારા માટે પરદ્રવ્ય છે. તેને જાણવા માટે પણ હવે હું તેનું લક્ષ છોડું છું. ઉપાદેય માટે તો જ્યારે મને સમ્યગ્દર્શન થયું હતું ત્યારે તેનું લક્ષ છૂટી ગયું હતું, પરંતુ ઉપયોગમાં એ ભેદો હજુ આવ્યા કરે છે હોં ! એ ભેદ ઉપયોગમાં આવે છે તો પણ પરિણતીમાં ભેદ આવતો નથી. પરિણતીમાં તો અભેદ ચાલુ છે. પરંતુ ઉપયોગમાં ભેદ આવે છે તો શુદ્ધોપયોગ છે તે છૂટી જાય છે. શુદ્ધોપયોગ છે તે સાક્ષાત મોક્ષનું કારણ છે. “સર્વ વિભાવગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ” સર્વ પ્રકા૨ના ભેદોથી રહિત અભેદ, સામાન્ય, ટંકોત્કીર્ણ, એક પ્રભુ-વિભુ ભગવાન આત્મા છે. ‘સર્વે ’ આગળ વિશેષણ લગાડયું ને ! “ સર્વે વિભાવગુણ પર્યાયોથી રહિત શુદ્ધ અંતઃતત્ત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ” ઉ૫૨ વિભાવગુણ પર્યાયોને હૈય કહ્યું હતું કારણ કે તેઓ ૫૨સ્વભાવો છે, તેથી પરદ્રવ્ય છે અને તેથી હેય છે. સર્વ વિભાવગુણ પર્યાયોથી રક્તિ એટલે સર્વ પ્રકારના ઉત્પાદ-વ્યયથી રહિત. બસ, ઉત્પાદ–વ્યયથી રહિત કહ્યું તેમાં બધું આવી ગયું. પ્રમત્ત-અપ્રમતથી રહિત કહે ત્યારે તેમાં થોડું રહી જાય છે. પરંતુ ઉત્પાદ-વ્યયથી રહિત કહે તેમાં અગુરુલઘુગુણની ઇત્યાદિ શુદ્ધ પર્યાયો જે છે તે આવી જાય છે. એનાથી એટલે તે ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ પરમાત્મા ધ્યાનને યોગ્ય છે. આહા ! પ્રમત્ત-અપ્રમત્તથી રહિત કહ્યું, પરંતુ અગુરુલઘુગુણની પર્યાયથી કયાં રહિત કહ્યું છે? સાંભળ ભાઈ ! ૫૨માત્મ પ્રકાશમાં યોગીન્દુ મહારાજ ૪૩ નંબરની ગાથામાં કહે છે કેવ્યવહારનયથી જોવામાં આવે તો આ ધ્રુવ ૫૨માત્મા ઉત્પાદ-વ્યયથી સહિત દેખાય છે, જણાય છે, તો પણ નિશ્ચયનયથી જોવામાં આવે તો ઉત્પાદ-વ્યયથી રહિત ધ્રુવ પરમાત્મા છે. તીર્થંકર ભગવાને છદ્મસ્થ અવસ્થામાં આ ધ્રુવ પરમાત્માનું ધ્યાન કર્યું હતું. તેનું Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy