SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૧૧ આહા... હા ! “ આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં”, ૫રમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં, અનુભવ કરતાં અથવા અનુભવીને નિરૂપણ કરવામાં આવે ત્યારે શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. આવા જીવો નિમિત્તના રસિક નથી. જ્ઞાનીઓ છે તે રસીલા તો છે હોં ! રસિલા તો છે.. રસિક તો છે ! પરંતુ તેમને નિમિત્તનો ૨સ નથી, પાંચ-મહાવ્રતનો ૨સ તેને નથી, શાસ્ત્રજ્ઞાનના ઉઘાડનો ૨સ પણ તેને નથી, અને પ્રગટ થયેલો આનંદ એ પણ ઉપાદેયપણે તેને નથી..., તેનાથી પણ તે ઉદાસીન છે. અમને અતીન્દ્રિયઆનંદનું ભોજન આવે છે પણ તેનાથી હું ઉદાસ છું.. આમ શુદ્ધ તત્ત્વના સિક પુરુષો કહે છે. અનુભવીઓ, સાધક એમ કહે છે કે-મુક્તિના સંયોગમાં રહેલો જીવ અને સંસારની પર્યાયના સંયોગમાં રહેલો જીવ, તે બન્નેને અમે શુદ્ઘનયથી જોઈએ છીએ તો કાંઈ તફાવત નથી. પર્યાયના ફેરે દ્રવ્યમાં કાંઈ પણ ફેર પડતો નથી.. એમ કહેવાનો આશય છે. મિથ્યાર્દષ્ટિ હો કે સમ્યગ્દષ્ટિ હો.. શુદ્ધનયથી બધા ૫૨માત્મા છે. બધા ભગવાન આત્માઓ છે. તેમ સંતો દ્રવ્યદૃષ્ટિથી જુએ છે. જીવકે ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, ઔદયિક ઔર પારિણામિકભાવ હૈ, ઉનમેં ઔયિકભાવ બંધ કરનેવાલા હૈ ઔર ઔપમિક, ક્ષાયોપશમિક ઔર ક્ષાયિક ભાવ મોક્ષ કે કા૨ણ હૈ, પારિણામિકભાવ નિષ્ક્રિય હૈ. (શ્રી સમયસાર તાત્પર્યવૃત્તિ ગાથા. ૪૩૭) (ચતુર્થાંદિગુણસ્થાનવર્તી જીવોંકી સ્વાનુભૂતિકી અવસ્થામેં ) શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયભૂત દ્રવ્ય (ધ્યાન ક૨ને યોગ્ય વિષય) હૈ ઔર શુદ્ધ પારિણામિકભાવ ધ્યાનપર્યાયરૂપ નહીં હૈ કયોંકિ ધ્યાનકી પર્યાય નશ્વર (અનિત્ય ) હૈ. ( શ્રી સમયસાર તાત્પર્યવૃત્તિ ટીકા ગાથા ૪૩૭ માંથી ) Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy