________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
ગાથા-૫૦ ગાથા – ૫૦ पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं। सगदव्वमुवादेयं अंतरतचं हवे अप्पा ।।५।। पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः।।
स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं भवेदात्मा।। ५०।। हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम्।
ये केचिद् विभावगुणपर्यायास्ते पूर्वं व्यवहारनयादेशादुपादेयत्वेनोक्ता: शुद्धनिश्चयनयबलेन हेया भवन्ति। कुतः ? परस्वभावत्वात्, अत एव परद्रव्यं भवति। सकलविभावगुणपर्यायनिर्मुक्तं शुद्धान्तस्तत्त्वस्वरूपं स्वद्रव्यमुपादेयम्। अस्य खलु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकस्य शुद्धान्तस्तत्त्वस्वरूपस्याधार: सहजपरमपारिणामिकभावलक्षणकारणसमयसार રૂતિ
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય, અંત:તત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦. અન્વયાર્થ:- [પૂર્વીસનમાવી:] પૂર્વોક્ત સર્વ ભાવો [પરસ્વમાવા:] પરસ્વભાવો છે, [૫૨દ્રવ્યમ] પરદ્રવ્ય છે, [તિ] તેથી [દેયા:] હેય છે; [ અન્તસ્તત્ત્વ ] અંત:તત્ત્વ [ સ્વદ્રવ્યમ] એવું સ્વદ્રવ્ય[ માત્મા] આત્મા[૩૫ાયમ] ઉપાદેય [ ભવેત] છે.
ટીકા:- આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.
જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે (૪૯ મી ગાથામાં ) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે) તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવગુણપર્યાયોથી રહિત શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગ-સુખાત્મક શુદ્ધઅંત:તત્વસ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજપરમપારિણામિકભાવલક્ષણ (-સહજ પરમ પરિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો ) કારણસમયસાર છે.
ગાથા - ૫૦ : ઉપર પ્રવચન ૩૮ ગાથામાં જે કહ્યું હતું તે જ આ ગાથામાં કહે છે. ૩૮ ગાથામાં પાયો નાખ્યો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk