________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧)
પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ છૂટાપણું બતાવે છે. જીવ તો સ્વભાવરૂપ છે અને પર્યાયો સંયોગરૂપ છે. સિદ્ધની પર્યાય તે સંયોગરૂપ પરંતુ સ્વભાવરૂપ નથી. આ પહેલી લીટીનો અર્થ ચાલે છે. આમાં લખેલું છે? શુદ્ધનિશ્ચયનયથી જીવમાં કાંઈ તફાવત નથી. ક્યા જીવમાં? મુક્તિમાં હોય જીવ કે સંસારમાં હોય તે બેમાં કિંચિત્માત્ર તફાવત નથી. શુદ્ધનયથી જોવામાં આવે તો નથી. અને શુદ્ધનય જે જુએ છે તે જ સત્યાર્થ છે. વ્યવહારનય ભેદ પાડે છે તે અસત્યાર્થ છે.
આહા. હા! વ્યવહારનય જીવમાં ભેદ પાડે છે. એક મુક્તજીવ અને એક સંસારી જીવ.. એવા સંયોગોનો આરોપ જીવમાં આપી ને એક મુક્ત જીવ છે અને એક સંસારી જીવ છે તેમ કહે છે. એ બન્ને પ્રકારના સંયોગોનો આરોપ સ્વભાવ ઉપર આપીને તે કથન કરે છે. વ્યવહારનયનું કથન સાચું નથી, તે જૂઠું કથન કરે છે. એક મનુષ્ય નિર્ધન અને એક મનુષ્ય સધન તેમ વ્યવહારનય કહે છે. તે બન્ને કથન ખોટાં છે. મનુષ્ય તો મનુષ્ય છે.
આહા. હા! શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં એટલે મુક્ત અવસ્થામાં રહેલો ભગવાન આત્મા તેમજ વિકારી અવસ્થાના સંયોગમાં રહેલો નિર્વિકારી પરમાત્મા એ બેમાં કોઈ તફાવત નથી. “આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં (પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે.” આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં એટલે તત્ત્વનો, આત્માના સ્વભાવનો અનુભવ કરતાં, વિચારતાં એટલે અનુભવ કરતાં શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો, શુદ્ધાત્માના અનુભવી જીવો આમ કહે છે. એક લોઢાની ડાબલીમાં રહેલો હીરો અને એક સોનાની ડાબલીમાં રહેલો હીરો છે. હવે ઝવેરીની નજર તો હીરા ઉપર છે. હીરો લોઢાની ડાબલીમાં છે માટે તેની કિંમત ઓછી છે અને સોનાની ડાબલીમાં હીરો છે માટે તેની કિંમત વધારે છે તેમ નથી. ઝવેરીની દૃષ્ટિ ડાબલી ઉપર નથી. પરંતુ હીરા ઉપર રહેલી છે. આહા ! તમારો દાખલો આપ્યો. આ સંયોગો તો બધા ડાબલા છે. તે બધા પર્યાયના ડાબલા છે. આ તો બધું પૃથક છે.
આહા.. હા ! જેને વ્યવહારનયે જીવ કહેવાય તે પણ સંયોગ છે. સ્વભાવ નથી. આહા.. હા! ખરેખર આ ઉપરનું જે કથન કર્યું છે તેમાં માલ ભર્યો છે. આમાં તો ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આપણી શક્તિ આમાંથી માલ કાઢવાની કાંઈ નથી, એટલા ભાવો ભર્યા છે. અરે ! ગણધર ભગવંતો કહે છે–અમે જ્યારે દિવ્યધ્વનિ સાંભળીએ છીએ ત્યારે એમ લાગે છે કે અમારું જ્ઞાન સમુદ્રમાં બિંદુ છે. પ્રભુ! અમે કાંઈ જાણતાં નથી. ગણધર ભગવાન બાર અંગના ધારી, તદ્ભવી મોક્ષ જનારો આત્મા કહે છે. તે હજુ છદ્ભસ્થ છે ને! તે કેવળજ્ઞાનની પર્યાયની સાથે પોતાના પરિણામનું મિલાન કરે છે. અરે! અમે પામર છીએ. જ્યારે પર્યાયનું જ્ઞાન કરું છું ત્યારે પર્યાય અપેક્ષાએ હું પામર છું. ભલે દ્રવ્ય અપેક્ષાએ પરમાત્મા છું પરંતુ પર્યાય અપેક્ષાએ હું પામર છું. એવી પામર પર્યાયની વિધમાનતા છે, કોઈ નયના બળે તેની વિધમાનતા છે. (સર્વથા) નથી એમ નથી.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk