SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૨૦૫ તો” આવે છે. ત્યારે માસ્તર કહેતા કે-આ “તો” છે ને તે છપ્પન મણના વજનવાળો છે તમે એ “તો” ને કાઢી નાખો, પછી જુઓ એ “તો’નું વજન કેટલું છે? છપ્પનમણનું વજન છે. એમ અમારા માસ્તર શીખવાડતા હતા. બાળકો કહેઆમ કરીએ “તો” આમ થાય. તો માસ્તર કહે “તો ” રહેવા દો. જોકે વ્યવહારનય” એટલે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે એવો અભેદનો ભેદ તેને વ્યવહાર કહેવામાં આવે છે. શુભભાવ છે તે અસદ્ભુત વ્યવહારનયનો વિષય છે. તે ખરેખર અભેદનો ભેદ નથી. શુભભાવ છે તે અભેદની જાતિનો એ ભેદ નથી માટે એ ભેદ આત્માને બતાવી નહીં શકે. પરંતુ જે અભેદની જાતિનો જે ભેદ હોય કે-જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા એ અભેદનો ભેદ એવો જે વ્યવહારનય એ પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબનરૂપ કહ્યો છે. પ્રથમ ભૂમિકાના બે અર્થ થાય છે. જે મિથ્યાષ્ટિ છે, જેને શુદ્ધાત્માનું ભાન નથી, જે અનાર્ય જેવો છે એટલે કે સ્વસ્તિ કહેતાં જે અર્થને સમજતો નથી એવો જીવ. તે સંસ્કૃત ભણેલો નથી, પરંતુ ગુરુએ “સ્વસ્તિ' કહ્યું એટલે કે-તારું અવિનાશી કલ્યાણ થાવ ! સ્વસ્તિ કતાં તે કાંઈ સમજ્યો નહીં તેવા જીવોને અનાર્યની ભાષામાં સમજાવવા માટે તે વ્યવહારનય હસ્તાવલંબન છે. માટે આ વ્યવહારનય અનાર્યની ભાષાના સ્થાને છે. આત્માને સમજતો નથી તેને અભેદ સમજાવવાનો ઈરાદો રાખીને, અભેદની અંદર ભેદ કલ્પના કરીને કહે છે કે આત્મામાં જ્ઞાન છે. ભેદ હોવા છતાં અભેદમાં જ્ઞાનગુણનો કે દર્શનગુણનો ભેદ દેખાતો નથી. પરંતુ જે અભેદને સમજતો નથી તેને અભેદમાં ભેદ કલ્પના કરીને સમજાવે છે. જે અભેદને સમજતો નથી તેવા આત્માઓને પ્રાથમિક ભૂમિકામાં આ સિવાય બીજો સમજાવવાનો કોઈ ઉપાય નથી. જાણે તે આત્મા, દેખે તે આત્મા', જો કે વ્યવહારનયે પ્રથમ ભૂમિકામાં હસ્તાવલંબરૂપ છે. “પ્રથમ ભૂમિકામાં' એ એક અર્થ તો મિથ્યાષ્ટિને લાગુ પડે છે. બીજો અર્થ-જે સાધક હોય અને નિર્વિકલ્પ ધ્યાનમાં જામી જતો ન હોય તો તેને ગુણગુણીના ભેદનો વિચાર આવે છે. પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે તેવા જીવોને અરેરે ! જોઈ લેજો ! અરે! અરે ! આહા! ખેદ આવી જાય છે. વ્યવહારનયનો પરાશ્રિત-ભેદાશ્રિત ભાવ ઉઠયો છે તે ખેદ છે. આહાહા !નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવી જવાયું છે. અભેદને તો પરિણતીથી અવલોકું છું પરંતુ અભેદમાંથી ઉપયોગ છૂટી અને બીજાને સમજાવવાનો તેનો કાળ આવ્યો છે ત્યારે પણ અભેદનો આશ્રય રાખીને ભેદથી સમજાવે છે. ત્યાં ચારિત્રનો દોષ આવી જાય છે. આહા! એવા જીવોને, “અરેરે!' આ શબ્દ છે તે ખેદજનક છે. પ્રાથમિક ભૂમિકામાં સમજાવવા માટે વ્યવહાર ભલે હસ્તાવલંબરૂપ હો ! તોપણ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy