SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૨૦૬ પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ દ તેવા જીવો, “તોપણ જે જીવો ચૈતન્ય ચમત્કારમાત્ર, ૫૨થી રહિત એવા ૫૨મ પદાર્થને અંતરંગમાં દેખે છે... તેમને એ વ્યવહા૨નય કાંઈ નથી.” ૫૨થી રહિત એટલે ભેદથી રહિત એવા ૫૨મ ૫રમાર્થરૂપ આત્માને, પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ નથી. વ્યવહારનય અસ્તને પામી જાય છે. નિશ્ચયનય વ્યવહારનયનો પ્રલય કરે છે. પ્રલય કરે છે એટલે વ્યવહારનયનો નાશ થઈ જાય છે. જ્યાં ઉપયોગ અભેદમાં આવ્યો અને અભેદ આત્મા ઉપાદેયપણે જાણવામાં આવ્યો ત્યાં કોઈ ભેદ દેખાતો નથી. અભેદમાં ભેદ દેખાતો નથી. માટે ભેદાશ્રિત વ્યવહારનો પ્રલય થાય છે. અહીં પરાશ્રિત વ્યવહારની તો વાત જ નથી. તે તો અસદ્ભુત વ્યવહારમાં જાય છે. અસદ્ભુત વ્યવહાર તે જૂઠો વ્યવહાર છે. અને એક સાચો વ્યવહાર છે. વ્યવહાર રત્નત્રયના પરિણામ તે જૂઠો વ્યવહાર છે. અને નિશ્ચય રત્નત્રયના પરિણામ તે સાચો વ્યવહાર છે.. પરંતુ તે નિશ્ચય નથી. આહાહા ! સાધકની પરિણતી તો અભેદમાં ચોંટી ગઈ છે પરંતુ ઉપયોગ અભેદમાંથી ખસી જાય છે. સવિકલ્પદશામાં સાધક આત્માઓનો ઉપયોગ અભેદમાંથી ખસી જાય છે. પરંતુ તેની પરિણતી અભેદથી ખસતી નથી. હવે તે સવિકલ્પ ઉપયોગમાં જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા.. આટલો ભેદ ઉભો થાય છે. કળશટીકામાં તો ત્યાં સુધી કહ્યું છે કે કોઈ ઘણો બુદ્ધિવાન આત્માને સમજાવવા વાળો હોય એટલે કે અધિક બુદ્ધિ જેની છે તેવા ગણધર ભગવાન હોય તો પણ જ્યારે તેને બીજાને સમજાવવાનો સ્વકાળ અને પેલાને સમજવાનો સ્વકાળ છે એવો યોગાનુયોગ થાય ત્યારે ઉપયોગ અભેદમાંથી છૂટીને, સમજાવવા માટે ભેદથી સમજાવે છે. જેનામાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા, ચારિત્ર હોય તે આત્મા, અથવા જે જ્ઞાન, દર્શન, ચારિત્રને હંમેશાં પ્રાપ્ત કરે તેને આત્મા કહેવામાં આવે છે. ગણધર હોય તો પણ આટલો ભેદ તો બીજાને સમજાવવા માટે આવે છે. જયસેન આચાર્ય ભગવાને કહ્યું છે કે–સંભાળજે! બીજાને સમજાવવાનો કાળ હોય ત્યારે અભેદમાં ભેદનો વિચાર કરજે! અન્ય કાળે નહીં. આહા ! એ સવિકલ્પમાં રહેતાં નિર્વિકલ્પ ધ્યાન મોળું પડી જશે... અને તું વ્યવહારમાં દુર ચાલ્યો જઈશ.. તો મેળવેલું ચાલ્યું જશે. કેમકે અનાદિથી વ્યવહારનો પક્ષતો હતો, વ્યવહા૨નો પક્ષ છૂટયો અને અનુભવ થયો અને જો પાછો વ્યવહાર મંડયો ઘૂંટવા બીજાને સમજાવવાના બહાના નીચે પણ, તો સંભવ છે કે પાછો પડી જઈશ. આ સમકિતીની વાત ચાલે છે. બહુ ઝાઝી વખત બીજાને સમજાવવા રોકાઈશ નહીં. સમાધિતંત્રમાં પૂજ્યપાદ આચાર્ય ફરમાવે છે કે-બીજાને સમજાવવું અને બીજા Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy