SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ પ્રવચન નં:- ૧૧ ગાથા-૪૯ તે બધાં સંસારી જીવો શુદ્ધનયના કથનથી એટલે શુદ્ધનયના ભાવથી શુદ્ધગુણો અને શુદ્ધ-પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સમાન છે. શુદધનયથી વાત આવે ત્યાં હોવાથી શબ્દ આવે, અને વ્યવહારનયના વિષયની વાત આવે ત્યાં થવાથી આવે. બધાં સંસારી જીવો સિદ્ધ સદેશ હોવાથી તે સિદ્ધ સમાન રહેલાં છે. આતો જ્ઞાનની થોડી સંધિ કરી. અત્યાર સુધી જે વાત આવી તે દૃષ્ટિની મુખ્યતાથી વાત આવતી હતી. આ ભેદો વિદ્યમાન નથી, વિદ્યમાન નથી, ભેદો નથી. હવે જ્યાં ભેદની વાત આવી ત્યાં તેને એમ લાગે કે આ ભેદની વાત આવી: અરે ભાઈ ! ભેદની વાત આવી તેમાં તારું શું બગડી ગયું? જો તું ભેદનું અવલંબન લે તો બગડે અને ભેદને જ જો આત્મા માને તો બગડે. પરંતુ અભેદનું અવલંબન લેતા ભેદો જણાય જાય છે. ચોથે ગુણસ્થાને આવી અવસ્થાઓ છે, પંચમગુણસ્થાને આવી અવસ્થાઓ હોય છે, છઠ્ઠ-સાતમે આવી અવસ્થાઓ હોય છે, તે બધા ભેદો જ્ઞાનનું જ્ઞય છે. ધ્યાયનું ધ્યેય તો ધ્રુવ પરમાત્મા એક જ છે. માટે ઉપર પ્રમાણજ્ઞાન શબ્દ વાપર્યો હતો. સમયસાર શ્લોક – ૫ तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः (માલિની) “ व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हंत हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं પરવિરહિતમન્ત: પશ્યતાં નૈષ વિત્ાા” “[ શ્લોકાર્ચ- ]જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે એવા જીવોને, અરેરે! હસ્તાવલંબરૂપ ભલે હોય, તોપણ જે જીવો ચૈતન્યચમત્કારમાત્ર, પરથી રહિત એવા પરમ પદાર્થને અંતરંગમાં દેખે છે તેમને એ વ્યવહારનય કાંઈ નથી.” શ્લોક – ૫ : ઉપર પ્રવચન એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં પાંચમા શ્લોક દ્વારા) કહ્યું છે કે “જોકે વ્યવહારનય આ પ્રથમ ભૂમિકામાં જેમણે પગ મૂકયો છે એવા જીવોને, અરેરે! હસ્થાવલંબનરૂપ ભલે હોય, શું કહ્યું? “જો કે ” એમ શબ્દ છે હોં ! જો કે એ શબ્દમાં ઘણું વજન છે હોં ! જ્યારે અમારી નાની ઉંમરમાં, અમે ભણતાં હતાં ત્યારે-“આમ કરીએ તો આમ થાય.” એમાં Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy