________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૨૦૩ કવ્વામાં આવે છે. વિભાવ એટલે વિશેષ ભાવ પરંતુ તે સામાન્ય ભાવ નહીં.
પ્રશ્ન થાય કે-ક્ષાયિકભભાવને વિભાવ કહેવાય? ભાઈ ! કઈ અપેક્ષાએ કથન છે. તે સમજવું જોઈએ. “ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે. તે બધા”, તે બધા કહી અને પાછું ઠેકાણે લાવે છે-મૂળમાં લાવે છે. ભેદનું જ્ઞાન કરાવી ને અભેદની દૃષ્ટિ કરાવે છે. અથવા જેને દૃષ્ટિ થઈ ગઈ છે તેવા જ્ઞાનીને પર્યાયનું જ્ઞાન વિધમાન હોય છે. તે પર્યાયને જ્ઞાનના જ્ઞયમાંથી ઉડાડતો નથી. હવે ધ્યાનના ધ્યેયમાંથી પણ તેને ઉડાડવાનું રહ્યું નથી. કેમકે જે એક વસ્તુ છે તે જ દેખાય છે... તેને બીજું કાંઈ દેખાતું નથી.
તે બધાં' એટલે ઉપર કહ્યાં તે-“શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણ પર્યાયો વડે સિદ્ધ ભગવંતો સમાન છે.” કોણ? બધા જ સંસારી જીવો. આગળ ૪૭ ગાથામાં આવ્યું હતું ને-બધા જ સંસારી જીવો સિદ્ધ ભગવંતો સમાન છે. શુદ્ધગુણ અને શુદ્ધ પર્યાયો વડે અહીં પર્યાયોમાં લેવું. હવે પર્યાયમાં લેવું હોય તો શક્તિરૂપ લેવી પરંતુ પ્રગટ પર્યાય ન લેવી. અર્થાત્ આ શુદ્ધનયનો વિષય કહ્યો. બીજી અપેક્ષાએ પર્યાયનો અર્થ એક બીજો પણ થાય છે.
શુદ્ધપર્યાયમાં કારણ શુદ્ધ પર્યાય પણ લેવાય. ત્રિકાળી ગુણ અને કારણ શુદ્ધ પર્યાયો એ વડે સિદ્ધ ભગવંતો સમાન છે. અહીં બે અર્થ કર્યા. બે અર્થ મેં શું કામ કર્યા? સિદ્ધભગવંતો સમાન છે એમ કહીને બે અર્થ કર્યા.
એક અર્થ તો સિદ્ધ પર્યાયો જે પ્રગટ થઈ આઠ ગુણની તે પર્યાયો સંસારી જીવોને આઠ ગુણની પર્યાયો પ્રગટ થઈ નથી. પરંતુ તે ગુણો શક્તિરૂપે છે. બીજો અર્થ-ગુણ પર્યાયોનો એટલે કે ત્રિકાળીગુણો છે અને કારણ પર્યાય પણ છે. એ પણ શુદ્ધનયનો વિષય છે. આ રીતે બે અર્થ કર્યા. પર્યાયરૂપ શક્તિ છે તે પણ શુદ્ધનયનો વિષય અને કારણશુદ્ધ પર્યાય પણ શુદ્ધનયનો વિષય છે. કેમકે કારણશુદ્ધ પર્યાય તે પૂજિત પંચમભાવની પરિણતી છે. તેને કારણશુદ્ધ પર્યાય કહેવામાં આવે છે.
અહીં શુદ્ધનયના કથનથી શુદ્ધનયનો વિષય કહેવો છે તેથી વર્તમાન પ્રગટ પર્યાય ન લેવાય. તે વ્યવહારનયનો વિષય થઈ જાય છે. ઉત્પાદ છે તે વ્યવહારનયનો વિષય છે અને ધ્રુવ છે તે નિશ્ચયનયનો શુદ્ધનયનો વિષય છે. શુદ્ધનયના કથનથી એટલે ભાવથી... શુદ્ધગુણ પર્યાયો વડે હોવાથી તે સિદ્ધ ભગવંત સમાન છે. કોણ ? બધા જ સંસારી. કઈ નયે? શુદ્ધનયે. અહીં ટીકા પૂરી થઈ ગઈ, હવે તેનો ખુલાસો કરવા માટે કૌંસ કરે છે.
જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે.” ઔદયિક આદિમાં ચારેય ભાવો લઈ લેવા. ઔદયિક આદિ શબ્દ વાપર્યો ને ! વિભાવ ભાવોવાળા હોવાથી તે સંસારી છે. અમે જે આત્માની વાત કરીએ છીએ ને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk