SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૯૬ પ્રવચન નં:- ૧૦ શ્લોક-૭૨ શુદ્ઘ તેથી કહું છું. અહીં કહે છે એમ નથી. દ્રવ્યે હું શુદ્ધ એમ શ્રદ્વના૨ના પરિણામ પણ અંશે શુદ્ધ થાય છે.. ત્યારે દ્રવ્યે શુદ્ધ છે એમ અનુભવપૂર્વક પ્રતીત આવે છે. સમ્યગ્દષ્ટિને હંમેશાં કારણતત્ત્વ ને કાર્યતત્ત્વ શુદ્ધ છે. અજ્ઞાની મિથ્યાર્દષ્ટિ કારણને શુદ્ધ માને અને કાર્યને અશુદ્ધ જાણે તે બરોબર નથી. તો તેણે કારણતત્ત્વ શુદ્ધ જાણ્યું જ નથી. તેથી કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. * ‘આ રીતે પરમાગમના અતુલ અર્થને ” આચાર્ય ભગવાન કહે છે-આ રીતે આગમ અને પરમાગમમાં એમ આવે છે કે – દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે અશુદ્ધ તેમ આવે છે. અધ્યાત્મ પ્રમાણમાં દ્રવ્યે શુદ્ધ અને પર્યાય શુદ્ધ તેમ ૪૭ શક્તિમાં આવે છે. શક્તિ પણ શુદ્ધ અને વ્યક્તિ પણ અવસ્થા પણ શુદ્ધ છે.. તેમ સમ્યગ્દષ્ટિ જાણે છે. શક્તિ શુદ્ધ અને વ્યક્તિ અશુદ્ધ એવું મિથ્યાર્દષ્ટિનું વચન છે. કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. આ રીતે પરમાગમના અતુલ, આહાહા ! જેની તુલના ન થઈ શકે તેને અતુલ કહેવામાં આવે છે. “ એવા અર્થને સારાસારના વિચારવાળી ”, એટલે કે આ સારભૂત અને આ અસારભૂત, આ હૈય અને આ ઉપાદેય એવી જેની સમ્યક્ સુંદર બુદ્ધિ થઈ ગઈ છે તે સમ્યગ્દષ્ટિ છે. દ 17 સારાસારના વિચા૨વાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યગ્દષ્ટિ સ્વયં જાણે છે”, પોતાથી જાણે છે. “ તેને અમે વંદના કરીએ છીએ. આવા સમ્યગ્દષ્ટિને પણ અમે વંદના કરીએ છીએ. આ ભેદજ્ઞાનનો મંત્ર છે. એક સમયમાત્ર પોતાના શુદ્ધાત્માને જાણ્યો નથી. બહારની ક્રિયા-પુણ્ય-પાપની ક્રિયા અનંતીવાર કરી. પરંતુ સંસારનો અંત આવ્યો નહીં. 66 બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહીં એકેય ટળ્યો.” આહાહા ! આંટો ટળ્યો નહીં. અહીં કહે છે-આત્માને જાણો ત્યાંથી જૈનદર્શનની શરૂઆત થાય છે. જૈનદર્શનની શરૂઆત આત્માને જાણવાથી થાય છે. ૨. છ પ્રગટપણે સદા શિવમય (નિરંતર કલ્યાણમય ) એવા ૫રમાત્મ તત્ત્વને વિષે ધ્યાનાવલી હોવાનું પણ શુદ્ઘનય કહેતો નથી. ‘ તે છે ( અર્થાત્ ધ્યાનાવલી આત્મામાં છે ) ’ એમ (માત્ર ) વ્યવહારમાર્ગે સતત કહ્યું છે. હું જિનેન્દ્ર ! આવું તે તત્ત્વ (−તેં નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ ), અહો ! મહા ઇન્દ્રજાળ છે. ( શ્રી નિયમસારજી-કલશ ૧૧૯) Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk 2
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy