SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્વ ૧૯૭ ગાથા - ૪૯ एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा।। ४९।। एते सर्वे भावाः व्यवहारनयं प्रतीत्य भणिताः खलु। सर्वे सिद्धस्वभावाः शुद्धनयात् संसृतौ जीवाः।। ४९ ।। निश्चयव्यवहारनययोरुपादेयत्वप्रद्योतनमेतत्। ये पूर्वं न विद्यन्ते इति प्रतिपादितास्ते सर्वे विभावपर्यायाः खलु व्यवहारनयादेशेन विद्यन्ते। संसृतावपि ये विभावभावैश्चतुर्भिः परिणताः सन्तस्तिष्ठन्ति अपि च ते सर्वे भगवतां सिद्धानां शुद्धगुणपर्यायैः सदृशाः शुद्धनयादेशादिति। આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે; સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯. અન્વયાર્થીનું તે]આ (પૂર્વોક્ત)[ સર્વે ભાવ:] બધા ભાવો[ g] ખરેખર [વ્યવહારનયંપ્રતીત્ય] વ્યવહારનયનો આશ્રય કરીને[ મળતા:]( સંસારી જીવોમાં વિધમાન) કહેવામાં આવ્યા છે; [શુદ્ધનયા] શુદ્ધનયથી [સંસ્કૃતી] સંસારમાં રહેલા [ સર્વે નીવા:] સર્વ જીવો [ સિદ્ધસ્વમાવી:] સિદ્ધસ્વભાવી છે. ટીકા- આ નિશ્ચયનય અને વ્યવહારનયના *ઉપાદેયપણાનું પ્રકાશન(-કથન) છે. પૂર્વે જે વિભાવપર્યાયો “વિધમાન નથી ” એમ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તે બધા વિભાવ૫ર્યાયો ખરેખર વ્યવહારનયના કથનથી વિદ્યમાન છે. વળી જેઓ (વ્યવહારનયના કથનથી) ચાર વિભાવભાવે પરિણત હોવાથી સંસારમાં પણ રહ્યા છે તે બધા શુદ્ધનયના કથનથી શુદ્ધગુણપર્યાયો વડે સિદ્ધભગવંતો સમાન છે (અર્થાત્ જે જીવો વ્યવહારનયના કથનથી ઔદયિકાદિ વિભાવભાવોવાળા હોવાથી સંસારી છે તેઓ બધા શુદ્ધનયના કથનથી શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયોવાળા હોવાથી સિદ્ધ સદેશ છે). * પ્રમાણભૂત જ્ઞાનમાં શુદ્ધાત્મદ્રવ્યનું તેમ જ તેના પર્યાયોનું બન્નેનું સમ્યક જ્ઞાન હોવું જોઈએ. “પોતાને કથંચિત્ વિભાવપર્યાયો વિદ્યમાન છે ” એવો સ્વીકાર જ જેના જ્ઞાનમાં ન હોય તેને શુદ્ધાત્મદ્રવ્યનું પણ સાચું જ્ઞાન હોઈ શકે નહિ. માટે વ્યવહારનયના વિષયોનું પણ જ્ઞાન તો ગ્રહણ કરવા યોગ્ય છે' એવી | વિવક્ષાથી જ અહીં વ્યવહારનયને ઉપાદેય કહ્યો છે, તેમનો આશ્રય ગ્રહણ કરવા યોગ્ય છે” એવી વિવક્ષાથી નહિ. વ્યવહારનયના વિષયોનો આશ્રય (–આલંબન, વલણ, સંમુખતા, ભાવના) તો છોડવાયોગ્ય જ છે એમ સમજાવવા ૫૦મી ગાથામાં વ્યવહારનયને સ્પષ્ટપણે ય કહેવામાં આવશે. જે જીવને અભિપ્રાયમાં શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયનું ગ્રહણ અને પર્યાયોના આશ્રયનો ત્યાગ હોય, તે જ જીવને દ્રવ્યનું તેમ જ પર્યાયોનું જ્ઞાન સમ્યફ છે એમ સમજવું, અન્યને નહિ. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy