SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૮૫ ૫૦૦ રૂપિયા આપવાનો વિકલ્પ આવ્યો ને ? જોઈ લેજો ! તે વ્યવહારને સમજતો નથી અને નિશ્ચયને પણ સમજતો નથી. એ ભાઈ એમ કહે છે કે-જ્યારે વ્યવહારની વાત આવે ત્યારે વ્યવહારને બરોબર ઉભો રાખો છો. પરંતુ વ્યવહાર-વ્યવહારનયના સ્થાનમાં છે કે નહીં ? કે નથી ? કે વ્યવહારનયનો વિષય જ નથી ? આ શું લખે છે? દ્રવ્ય-ભાવલિંગ ધારણ કર્યું છે જેણે એવા પદ્મપ્રભમલધારિદેવ ફરમાવે છે કે–અમને જે આ પદની પ્રાપ્તિ થઈ છે, મોક્ષમાર્ગની અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગની તે અમારા પરમગુરુના પ્રસાદથી થઈ છે. આહા ! પરમગુરુ સર્વજ્ઞદેવ છે. તેમની પરંપરામાં પરમગુરુ ગણધરદેવ છે. તેમનાથી માંડીને અમારા ગુરુ પર્યંત અમને તેની કૃપાથી-પ્રસાદથી પ્રાપ્તિ થઈ છે. “૫૨મગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે”, શું કહ્યું ? ૫૨મ આગમ એટલે દ્રવ્યાનુયોગના શાસ્ત્રોના અભ્યાસ વડે, ગુરુના પ્રસાદથી અને ૫૨માગમોના અભ્યાસથી તેવા બે શબ્દો છે. આ વ્યવહાર નથી તો શું છે? વ્યવહાર વ્યવહા૨ના સ્થાને છે પણ તે ઉપાદેય નથી.. તેણે વ્યવહારને માન્યો અને જાણ્યો કહેવામાં આવે છે. વ્યવહા૨થી થાય તેને વ્યવહાર નથી... પરંતુ વ્યવહારાભાસ છે. પ્રાપ્ત કરેલા પરમાગમોના અભ્યાસ વડે “ સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ (બાધા રહિત ) સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત સિદ્ધાત્માઓ કાર્ય સમયસાર રૂપ છે.” જેટલા સિદ્ધ પરમાત્માઓ થઈ ગયા તે સંસારથી થાકીને, ભેદજ્ઞાન કરીને સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પછી તે તેના ગુરુ પાસે જઈને દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા અંગીકાર કરીને કહે છે કે–ભગવંત મને મારા ધ્યાનમાં જવા માટે મને એકાન્તની રજા આપો... તો હું ગિરીગુફામાં જાઉં. મુનિઓ-સાધુઓ હોય તે ગામમાં ન રહે, ઘરમાં ન રહે, એ જંગલના સિંહ તો જંગલમાં ફરતા હોય. કેસરીસિંહ કાંઈ ગામમાં વસતા હશે ? આહા ! તેનો વાસ તો ગિરીગુફામાં છે. ત્યાં જઈને અમારા ધ્યાનમાં અમારે લીન થાઉં છે. શ્રીગુરુ તેની ઉગ્ર પરિણતી જાણીને કહે છે-તથાસ્તુ. એ મુનિ જંગલમાં જાય છે અને જ્યાં બે ચાર કલાક થાય છે તો ખબર મળ્યા કે–આપના શિષ્યે તો કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આહા... હા ! એવી ઉગ્ર પરિણતી છે. એવા જે સિદ્ધ પરમાત્મા થયા એ જ્યારે સાધક અવસ્થામાં વૈરાગ્યમાં પરાયણ હતા. ત્યારે તેમના ગુરુના પ્રસાદથી આ પ્રાપ્તિ થઈ તેમ વિચારતા હતા. પરમાગમના પ્રસાદથી આ દશા અમને પ્રગટ થઈ હતી. તેમ જિનવાણીનું અને પોતાના ગુરુનું બહુમાન પ્રગટ કરે છે. આહા ! આવા જે સિદ્ધાત્માઓ થઈ ગયા તે કાર્ય સમયસારરૂપ છે. જે સિદ્ધાત્માઓ Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy