SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૮૪ પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૭ ઓઢે, ગોદડાં એ સાધુનું લક્ષણ નથી. એ બધા કુસાધુઓ છે. આહા.. હા ! ચોખ્ખી વાત છે. આ કાંઈ દ્વેષની વાત નથી પરંતુ તત્ત્વની વાત ચાલે છે પંચ પરમેષ્ઠીમાં એક સાધુપદ છે એ સાધુપદનું શું સ્વરૂપ છે? એ નગ્ન મુનિરાજનું શું સ્વરૂપ છે ? જેની દશામાંથી રાગ અને દ્વેષ ચાલ્યો ગયો છે. તેઓ સામ્યભાવે રહે છે કોઈ મારો મિત્ર નથી અને કોઈ મારો દુશ્મન પણ નથી. 66 દ્રવ્ય અને ભાવલિંગ ધારણ કરીને, આહા ! ૫૨મ ગુરુના પ્રસાદથી પ્રાસ કરેલા ”, આ સવિકલ્પદશાની ભૂમિકામાં વિવેક કેટલો વર્તે છે તે કહે છે. જેણે દ્રવ્યલિંગ અને ભાવલિંગને ધારણ કર્યું છે અને વૈરાગ્ય પરાયણ છે.. એવા મુનિવરો પણ પોતાના ગુરુનું બહુમાન કરે છે. અમને ગુરુની કૃપાથી ભાવલિંગ મળ્યું છે, એમના પ્રસાદથી એટલે તેની કૃપાથી–મહેરબાનીથી પ્રાપ્ત થયું છે. જુઓ ! વ્યવહારનયના થનની પદ્ધતિ અને વ્યવહારનયનો વિષય અને તેનો વિકલ્પ કેવો આવે છે તે બતાવે છે. સજ્જનો ઉપકારને ઓળવતા નથી. આ ભાવલિંગી મુનિ સજ્જન છે. તે એમ નથી કહેતા કે અમારા ઉપાદાનથી થયું છે અમારા ગુરુએ કાંઈ કર્યું નથી તે વાત તારી નિશ્ચયથી બરાબર છે. સાધક છે હજુ સ્વરૂપમાં ઠર્યો નથી તેથી તને વિકલ્પ ઉઠે છે. વિકલ્પના કાળે ઉપકારીનો ઉપકાર જો તને ભાવમાં ન આવે તો તો તું ધીઠ છો. શું કહ્યું ? અમારા ઉપાદાનથી અમને આ મુનિપણું થયું છે એમ ન હોય. “ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તાં સમજવું તેહ.” વ્યવહાર વ્યવહારના સ્થાને હોય છે, વ્યવહાર ઉપાદેય નથી. પરંતુ વ્યવહારના સ્થાને વ્યવહા૨ આવી જાય છે, પણ તેનો કર્તા નથી. આહા ! પોતાએ જેની પાસેથી દિક્ષા અંગીકાર કરી હોય અથવા જેની પાસેથી આત્મબોધની પ્રાપ્તિ થઈ છે તે મારા ઉપકારી છે. અરે ! એની કૃપાથી, તેમની મહેરબાનીથી આ પદની મને પ્રાપ્તિ થઈ છે. આહા ! જુઓ ! સજ્જનો ઉ૫કા૨ને ઓળવતા નથી.. એવો નિયમસારમાં પાઠ છે હોં ! સજ્જનો ઉપકારને ઓળવતા નથી. પહેલાના કાળમાં તો બહુ હતું. સામાન્યમાણસ પોતે હોય અને ૫૦૦ રૂપિયા દુકાન માંડવા માટે કોઈએ આપ્યા હોય, અગાઉના કાળમાં ૫૦૦ રૂપિયા ઘણાં કહેવાતા. પછી તેનો પુણ્યનો ઉદય હોય તો ઘણાં થઈ જાય.. થોડા વખતમાં લખપતિ થઈ જાય. અને જેણે ૫૦૦ આપ્યા હોય તે થઈ જાય ભિખારી. બહારમાં તો બધા પુણ્ય-પાપના ખેલ છે. એ શેઠ જ્યારે આવે તે તેને આંગણે અથવા સામા મળે ત્યારે ગરદન ઝૂકી જાય હોં! આપે મારા ઉપર ઉપકાર કર્યો છે. આ બધું આપનું જ છે. ઘરે આવે તો ઉભો થઈ જાય અને પગમાં પડી જાય. સજ્જનો ઉપકારને ઓળવતા નથી. તે એમ નથી કહેતો કેઆ બધું અમારા પુણ્યથી થયું છે. તમે ૫૦૦ આપ્યા પરંતુ મારા પુણ્ય હતા તો તમોને Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy