SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૮૩ હોયને હોય જ. શાસ્ત્રજ્ઞાન તે જ્ઞાન નથી. જે આત્મજ્ઞાન, સ્વસંવેદનજ્ઞાન અનુભવજ્ઞાન તેની સાથે રહેલો વૈરાગ્ય તે સહજ વૈરાગ્ય છે સહજ વૈરાગ્ય પરાયણ થવાથી દ્રવ્યલિંગને તેમજ ભાવલિંગને ધારણ કરીને... આમાં કેટલું ચોખ્ખું લખ્યું છે. પાઠમાં છે કે નહીં ? કોઈ તર્ક કરે કે–અમારે તો ભાવલિંગનું કામ છે અમારે દ્રવ્યલિંગનું શું કામ છે? તેને કહે છે–તારું નિમિત્ત ખોટું છે માટે ઉપાદાન પણ ખોટું છે. તારો વ્યવહાર ખોટો છે માટે તારો નિશ્ચય પણ ખોટો છે. નિશ્ચય સાચો હોય તો તેને યથાયોગ્ય જ વ્યહાર હોય, પરંતુ તેનાથી ઉતરતો વ્યવહા૨ હોઈ શકે નહીં. આહા ! રાજપાટમાં રહીને હાથીને હોઠે કેવળજ્ઞાન થયું તે વાત સો ટકા ખોટી છે. આહા ! નિશ્ચયને અને વ્યવહારને સુમેળ હોય છે. જેટલા પ્રકારે અંતરમાં કષાયનો અભાવ થયો હોય તેટલા પ્રકારનો તેને બાહ્યનો શુભભાવ હોય, હોયને હોય જ. શુભભાવને દ્રવ્યલિંગ કહેવાય અને શુદ્ધ પરિણામને ભાવલિંગ કહેવાય અને શુદ્ધભાવને આત્મા કહેવાય. શુદ્ધભાવ તે શુદ્ધાત્મારૂપ છે. અને ભાવલિંગ તે શુદ્ધોપયોગરૂપ છે. દ્રવ્યલિંગ છે તે અશુદ્ધઉપયોગ છે હવે સાધકને અશુદ્ધઉપયોગ ઘટતો જાય છે અને શુદ્ધઉપયોગ વધતો જાય છે. કોના બળે ? શુદ્ધાત્માના અવલંબને. આહા ! વૈરાગ્યમાં જે પરાયણ-તત્પર છે એટલે કે તેની તત્પરતા પાંચ મહાવ્રતમાં નથી. હું આ નગ્ન છું માટે મારો મોક્ષ થશે એવા નગ્નના પક્ષથી રહિત દ્રવ્યલિંગી અને ભાવલિંગી હોય છે. આ પાંચ મહાવ્રતને હું પાળું છું માટે મારો મોક્ષ થશે એવો પક્ષ ભાવલિંગીને હોતો નથી. અને જેણે દ્રવ્યલિંગ ધારણ કર્યું છે અને ભાવલિંગપણું નથી તેને બાહ્યની નગ્નતા દિગમ્બર કહેવાય તો પણ તેને પાંચમહાવ્રતનો પક્ષ હોવાથી એ આત્મા દ્રવ્યલિંગી નથી-તે મિથ્યાર્દષ્ટિ છે. કેમકે તેણે કષાયથી લાભ માન્યો છે. પ્રશ્ન:- પાંચ મહાવ્રત કષાય છે કે અકષાય ? શ્રોતાઃ- એ પોતાની માન્યતામાં રાચે છે. ઉત્ત૨:- રાચે તો રાચો, પરંતુ તેનો મોક્ષ થાય તેમ કેવળી ભગવાનના જ્ઞાનમાં આવતું નથી. કોઈ તર્ક કરે કે–મારે શું વાંધો છે? સંસારમાં વેપાર પણ કરીએ અને વેપારથી નિવૃત્તિ લઈને ઘરે જઈને ધ્યાનમાં મગ્ન થઈ જઈએ. તે વખતે બેડરૂમમાં કપડાં બધાં ઉતારી નાખશું, થોડીવાર ઉતારી નાખશું બેડી, તે અમારું દ્રવ્યલિંગ થઈ ગયું. કેમકે નગ્ન થયા તો દ્રવ્યલિંગ થયું અને આત્માના વિચાર કરીએ છીએ તે ભાવલિંગ છે. આવું માનનાર મૂઢ અને મૂર્ખ છે. તેને કાંઈ ભાન નથી. કેમકે તેની ભાવના તો થોડીવાર પછી કપડાં પહેરવાની છે.. અને પછી તેને દુકાને જવાની ભાવના પણ છે. આહા ! ઘરમાં બેઠા સાધુપદ ત્રણકાળમાં આવી શકતું નથી. હજુ તને ઘરની આસક્તિ છે, કુટુંબ પરિવારની આસક્તિ પણ છૂટી નથી તેને સાધુ કહેવાતા નથી. ટાઢવાય ત્યારે કપડાં Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy