SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XIV શુદ્ધ અંત:તત્ત્વ વિરતી એટલે છૂટા. એ યાકારને જુદા પાડી. “જ્ઞાન ભિન્ન માની લિજિયે.” ભગવાન આત્મા જ્ઞાનમૂર્તિ તો તે ક્ષેત્રથી ભિન્ન છે. આહાહા ! આણે તો બહુ લીધું ! પર્યાયનું ક્ષેત્ર જ ભિન્ન છે સમજાણું કાંઈ ? ઈ.. પર્યાયનું ક્ષેત્ર તે જ પરક્ષેત્ર છે. યાકાર અર્થાત્ પોતાની પર્યાયમાં થતો આકાર એટલું. એ (ખરેખર) ક્યાં તત્ત્વ છે. અને જો એકાંત માને તો તે પર્યાય-બુદ્ધિવાળો મિથ્યાષ્ટિ છે. હોં ! પરંતુ ત્રિકાળી દ્રવ્ય સહિત પર્યાયને માને તો; પર્યાયમાં છે. તેને પર્યાયનું જ્ઞાન સાચું છે. [ નાટક સમયસાર પ્ર. નં. ૧૫૫ તા. ૭-૯-૯૧] સમયસારનાં સંવર અધિકારમાં આવ્યું છે કે-પુણ્ય-પાપના ભાવ અને વ્યવહાર રત્નત્રયનો જેટલો વિકલ્પ છે તે સર્વ રાગ ત્રિકાળી દ્રવ્યથી ભિન્ન છે. આહા! ભાવ તો ભિન્ન છે પણ રાગના પ્રદેશોય ભિન્ન છે એમ ત્યાં કહ્યું છે. આહાહા ! એકલું આનંદનું દળ પ્રભુ આત્મા–એમાંથી વિકાર ઉત્પન્ન થતો નથી. એટલે વિકારનું ક્ષેત્ર ત્રિકાળી દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. અનંત-ગુણધામ પ્રભુ આત્મા શુદ્ધ અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. તેની પર્યાયમાં જે દયા-દાન આદિ વિકલ્પ ઉઠે છે તે ત્રિકાળી સ્વભાવથી તો ભિન્ન છે, પણ ક્ષેત્રથી પણ તે ભિન્ન છે, બન્ને ને ભિન્ન-ભિન્ન વસ્તુ કહી છે. એક વસ્તુની ખરેખર બીજી વસ્તુ નથી. [અધ્યાત્મ પ્રવચન રત્નત્રય પેઈજ નં. ૬૪] (૧૮) સત્તા ભિન્ન હોય એવા પદાર્થમાં વ્યાપ્ય વ્યાપકપણું ન જ હોય. રાગાદિ વિભાવ ભિન્ન સત્તાવાળો પદાર્થ છે. તેની સાથે આત્માને વ્યાપ્ય વ્યાપકપણું નથી. વસ્તુ ભિન્ન છે માટે ક્ષેત્ર ભિન્ન છે. તેથી વ્યાપ્ય વ્યાપકપણું નથી માટે આત્મા અને રાગાદિ વિભાવને કર્તાકર્મપણું નથી. [ પ્રવચન રત્નાકર ભાગ-૩ પેઈજ નં. ૧૧૬] ૧૯) આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે. પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આસ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન-ભિન્ન તેમને (બે) એક સત્તાની અનુત્પત્તિ છે. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે-દ્રવ્ય એ પર્યાય નહીં અને પર્યાય તે દ્રવ્ય નહીં. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો (અંશો ) પણ (ધ્રુવ આત્માથી) જુદા છે પણ અહીં એની વાત નથી. અહીં મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આસ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર-નિર્મળતા થાય છે એ બેના (આસ્રવ અને સંવરના) પ્રદેશો પણ ભિન્ન-ભિન્ન છે. ગજબ વાત છે ભાઈ ! આ માથાના વાળ નથી હોતા ? તેમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy